અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં લગાવ્યો જય પેલેસ્ટાઈનનો નારો! શું આ નારો વધારશે અસદુદ્દીન ઓવૈસીનું ટેન્શન?


  • Published By :
  • Published Date : 2024-06-28 10:15:45

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. સત્રની શરૂઆતમાં સાંસદોએ સાંસદ તરીકને શપથ લીધા.. શપથ વિધીના વીડિયો આપણી સામે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા તે વખતે તેમણે જય પેલેસ્ટાઈન કહ્યું.. આ શપથ વિધિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.. તે વીડિયો જોયો જ હશે અને હવે આ મુદ્દે વિવાદ વકર્યો છે અને હવે ઔવેસીનું પદ ખતરામાં છે તેવું લાગી રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીનું સાંસદ પદ ખતરામાં આવી ગયું છે..  



શપથ વિધી વખતે અસદુદ્દીન ઓવૈસીએ બોલાવી હતી.. 

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકેના શપથ લીધા. તે જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. તેને લઈ વિવાદ છેડાઈ ગયો છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા પછી જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને પછી જય પેલેસ્ટાઈન કહ્યું હતું જે મુદ્દે રાજકારણ ગરમાયું છે. જો કે અધ્યક્ષે તેને રેકોર્ડમાંથી હટાવી દીધો છે, પરંતુ ઘણા વરિષ્ઠ વકીલો ઓવૈસીનું સભ્યપદ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. ભાજપે તેમની પાસેથી માફી માંગવાની માગ કરી હતી સમજીએ કે શું શપથ લેતી વખતે બીજા દેશનું નામ લેવું ખોટું છે ગુન્હો છે? 



જ્યારે કોઈ નેતા બીજા દેશની જય બોલાવે છે ત્યારે 

તો સાંસદ તરીકે સભ્યપદ લેતી વખતે અત્યાર સુધી સાંસદ પોતાના રાજ્ય અને દેશની જ વાત કરતા હતા. આ પ્રથમ કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ બીજા દેશની જય બોલાઈ જે કલમની વારંવાર ચર્ચા થઈ રહી છે એ કલમ 102(4) પ્રમાણે  જો તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તો તેણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો તે કોઈ અન્ય દેશ પ્રત્યે નિષ્ઠા અથવા લગાવ રાખે છે તો તેવો વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય છે. આ એક કારણ છે અન્ય કેટલાક કારણો છે જે કારણે સભ્યપદ રદ થઈ શકે એટલું જ નહીં પક્ષપલટાને કારણે સભ્યપદ પણ ગુમાવી શકાય કલમ 102 હેઠળ પક્ષપલટાને કારણે સભ્યપદ પણ છીનવી શકાય છે. 


જો સમિતી ભલામણ કરે તો... 

વાત કરીએ તો સંસદના બંને ગૃહોમાં એથિક્સ કમિટી છે. તેઓ નેતાઓના નૈતિક વર્તન પર નજર રાખે છે. જો સમિતિ ભલામણ કરે છે કે કોઈ ચોક્કસ સભ્ય ગૃહની ગરિમા તોડી રહ્યો છે, અથવા જાહેર જીવનમાં શિષ્ટાચાર તોડી રહ્યો છે, તો આત્યંતિક કિસ્સામાં સભ્યપદ ગુમાવી શકાય છે. એ જ એથિક્સ કમિટીની ભલામણ પર મહુઆ મોઇત્રાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.