નગરપાલિકાના કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ નહિ આવતા કર્મચારીઓએ પકડ્યો આંદોલનનો માર્ગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:05:21

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. માંડ માંડ શાંત થયેલા આંદોલનો ફરી એક વખત શરૂ થઈ શકે છે. રાજ્યની 156 નગરપાલિકાઓના કર્મચારીઓ પોતાની પડતર માગ સાથે સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાના મૂડમાં આવ્યા છે. અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના બેનર હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ પેનડાઉન કરી દીધી છે. 18 તારીખથી આવશ્યક સેવાઓ બંધ કરી હડતાળ ચાલુ રાખશે. 

આંદોલન ફરી પકડી શકે છે વેગ  

થોડા સમય પહેલા ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા હતા. ખેડૂતો, શિક્ષકો, નિવૃત આર્મી મેન, આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈ ગાંધીનગર ખાતે ધરણા કરી રહ્યા હતા. સરકારે અનેક માગનો સ્વીકાર કર્યો જે બાદ આંદોલનો શાંત થઈ ગયા હતા. ત્યારે ફરી એક આંદોલનો  ગુજરાતમાં શરૂ થઈ શકે છે. 2 વર્ષથી પોતાની માગ ન સ્વીકારાતા હવે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી રહ્યા છે.     

શું છે તેમની પડતર માગ   

પોતાની 20 જેટલી પડતર માગને લઈ તેઓ હડતાળ કરવાના છે. તેમની મુખ્ય માગની વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા લાભો મળે. નગરપાલિકાના ચીફ ઓફિસરોના પ્રમોશન કે બઢતી આપવામાં આવે. 7માં પગાર પંચનો લાભ મળે. તેમજ જૂની પેંશન યોજનાનો લાભ મળે સહિતના મુદ્દાઓને લઈ તેઓ આંદોલન કરવાના છે.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.