મણિપુરમાં થયેલી હિંસાની આગ સંસદ સુધી પહોંચી, લોકસભાની કાર્યવાહી આ તારીખ સુધી કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-07-21 17:18:16

છેલ્લા ઘણા સમયથી મણિપુર ભડકે બળી રહ્યું છે. મણિપુરની ઘટના અંગે પ્રધાનમંત્રી કોઈ નિવેદન આપે તેવી ત્યાંના લોકોની તેમજ વિપક્ષી પાર્ટીઓની માગ છે. એમનું કહેવું છે કે પ્રધાનમંત્રી ધારે તો મણિપુરની સ્થિતિ પર નિયંત્રણ લાવી શકે છે. પીએમ મોદીએ ભલે મણિપુરની સ્થિતિ અંગે વાત નથી કરી પરંતુ ત્યાંથી જે વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી તેની પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તેમનું દિલ ગુસ્સાથી ભરાઈ ગયું છે. તેમનું નિવેદન સાંભળી અનેક લોકોએ કહ્યું કે બડી દેર કરી દે જનાબ આતે આતે, તો કોઈએ કીધું કે દેર આયે દુરૂસ્ત આયે. 

લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરાઈ

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદની કામગીરી દરમિયાન દેશમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ અનેક એવા મુદ્દાઓ હોય છે જેને કારણે સંસદમાં હોબાળો થતો હોય છે અને કાર્યકાળને સ્થગિત કરવામાં આવતો હોય છે. ગઈકાલે પણ સંસદમાં ભારે હોબાળો મણિપુરની પરિસ્થિતિ અંગે થયો હતો જેને કારણે લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત હોબાળો થવાને કારણે લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. 


મણિપુરની હિંસાને લઈ થયો હતો હોબાળો

ગઈકાલે સ્થગિત કરવામાં આવેલી કાર્યવાહી આજે 11 વાગ્યે ફરી શરૂ કરાઈ હતી. પરંતુ કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરમાં થયેલી હિંસાને લઈ માહોલ ભડકી ઉઠ્યો હતો.સંસદની કાર્યવાહી સ્થગિત ગઈકાલે પણ કરવામાં આવી હતી પરંતુ આજે પણ તે મુદ્દાને લઈ હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદો મનીષ તિવારી, લોકસભામાં મણિકમ ટાગોર અને AAP સાંસદ સંજય સિંહ અને રાજ્યસભામાં RJD નેતા મનોજ કુમાર ઝાએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી નોટિસ આપી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.