ચૂંટણી નજીક આવતા જોરશોરથી આમ આદમી પાર્ટી કરી રહી છે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-15 12:30:25

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી ગુજરાતમાં જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. દરેક પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયોનો ભરપૂર ઉપયોગ કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા આપનો પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે લોકો પાસે ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ ન હતો જેને કારણે કંટાળીને ભાજપ-કોંગ્રેસને વોટ આપવો પડતો હતો પરંતુ હવે આમ આદમી પાર્ટી સ્વરૂપે મજબૂત વિકલ્પ છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે.

ગુજરાત પાસે આમ આદમી પાર્ટી જેવો મજબૂત વિકલ્પ છે - ગોપાલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આ વખતે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આ વખતે દરેક પાર્ટી વિવિધ રીતે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ભાજપ જ કરતું પરંતુ આ વખતે દરેક પાર્ટી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે. ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્રીજા પક્ષને લઈ ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં લાંબા સમયથી લોકોની ઈચ્છા પરિવર્તન લાવવાની હતી. પરંતુ લોકો પાસે કોઈ મજબૂત વિકલ્પ ન હતો. એટલે કંટાળીને લોકો ના છૂટકે ભાજપ-કોંગ્રેસને વોટ કરતા હતા. પરંતુ હવે ગુજરાત પાસે આમ આદમી પાર્ટી સ્વરૂપે એક મજબૂત અને સક્ષમ વિકલ્પ છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે. 

Govt notices to BJP, Congress, AAP on overseas funding | India News - Times  of India

મતદારોને રિઝવવામાં આપ સફળ થશે?

આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સરકાર બનાવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવા આમ આદમી પાર્ટી તત્પર હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ જ્યારે ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે આપ દ્વારા કરવામાં આવતા પ્રયાસ મતદારોને રિઝવવા સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે.           




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!