ચૂંટણી જાહેર થતાજ કેજરીવાલ મેદાને !!!!


  • Published By :
  • Published Date : 2022-11-03 16:56:11


ગુજરાતમાં વિધાનસભા ચુંટણી જાહેર થઈ છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે એમ 2 તબ્બકામાં મતદાન યોજાશે અને અત્યારથી અરવિંદ કેજરીવાલે જનતાને રિઝવવાનું શરૂ કરી દીધું છે. તેમણે ગુજરાતી ભાષામાં પ્રજાને સંબોધીને એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેઓ જનતાને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડશે એવી આશા વ્યક્ત કરી હતી. આની સાથે જ તેમણે જનતાનો આભાર પણ માન્યો હતો.


ગુજરાતીમાં શું કહ્યું કેજરીવાલે ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા પછી અરવિંદ કેજરીવાલે પરિવર્તન લાવવાની વાત કરી હોવાની સાથે ગુજરાતીઓને રિઝવવા માટે ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાતી ભાષામાં કહ્યું તમે મને તમારો ભાઈ અને પરિવારનો સભ્યો માનો છો એના બદલ આભાર. તમે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે એના માટે તમારો આભાર. હું તમારો ભાઈ બનીને તમારી જવાબદારી સંભાળીશ.


મોંઘવારી પર કહ્યું !!!

અરવિંદ કેજરીવાલે ગુજરાતી ભાષામાં વધુમાં કહ્યું કે હું તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ. તમારી વીજળી ફ્રી કરી દઈશ, બાળકો માટે સારી શાળાઓ, સારવાર માટે શાનદાર હોસ્પિટલો બનાવીશ. આની સાથે જ તમને અયોધ્યા શ્રીરામના દર્શન કરવા પણ લઈ જઈશ. બસ હવે એક વાર મને એક મોકો આપો હું જીવનભર તમારો ભાઈ બનીને રહીશ.



"ગુજરાતને પરિવર્તન જોઈએ છે "


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અવશ્ય જીતશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.