છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9 હજાર જેટલા કોરોના કેસ, 27 જેટલા લોકોએ ગુમાવ્યો કોરોનાને કારણે જીવ


  • Published By :
  • Published Date : 2023-04-17 12:12:17

દેશમાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 111 કેસ સામે આવ્યા છે જ્યારે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોરોના કેસમાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 60 હજારને પાર પહોંચી ગઈ છે. શનિવારે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા.


કોરોનાના નોંધાયા 9 હજારથી વધુ કેસ 

કોરોના કેસને લઈ જે આંકડા સામે આવી રહ્યા છે તે ડરાવી દે તેવા છે. થોડા દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક વખત કોરોના કેસનો આંકડો 7 હજારની આસપાસ નોંધાતો હતો. તો તે બાદ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક સમયે કોરોના કેસ 11 હજારને પાર નોંધાયા હતા. ત્યારે બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 હજાર 111 કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાને કારણે લોકોના મોત થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 27 જે઼ટલા લોકોના મોત થઈ ગયા છે. 


કેન્દ્ર સરકાર પણ કોરોના કેસ વધતા થઈ એક્ટિવ  

કેરળમાં કોરોનાના 2287 કેસ નોંધાયા છે જ્યારે ત્યાં 4 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના 1634 જેટલા કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશથી 706 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી 650 કેસ સામે આવ્યા છે અને ત્યાં બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા કોરોના કેસને લઈ અનેક રાજ્યોએ અનેક જગ્યાઓ  પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.