બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં 45 જેટલા લોકોએ હિંદુ ધર્મ છોડી અપનાવ્યો બૌદ્ધ ધર્મ


  • Published By :
  • Published Date : 2022-12-15 11:50:14

આજકાલ અનેક લોકો બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક ઘટના સામે આવી છે જેમાં એક હોટલની અંદર અંદાજીત 45 જેટલા લોકોએ બોદ્ધ ધર્મને અપનાવ્યો છે. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે હોટલ ગાર્ડન પેલેસ ખાતે ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહીસાગર, ખેડા, પંચમહાલથી લોકો આવ્યા હતા. 

હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનની વિધિ - Divya Bhaskar


45 લોકોએ બોદ્ધ ધર્મનો કર્યો સ્વીકાર 

ધર્મ પરિવર્તન કરનાર લોકોના કહેવા મુજબ બૌદ્ધ ધર્મના માનવ માત્ર એક સમાનના સૂત્રથી આ ધર્મ પરિવર્તન તેમણે કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે પંચશીલ આદર્શ ઉત્તમ હોવાને કારણે તેઓ આ ધર્મમા જઈ રહ્યા છે.  બાલાસિનોર નગરના રોહિતવાસના 7 જ્યારે મહિસાગર, ખેડા તેમજ પંચમહાલ જિલ્લા મળી કુલ 45 લોકોએ હિંદુ ધર્મમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તિત થયા છે. રવિવારના રોજ પોરબંદરથી આવેલા ધર્મગુરૂએ આ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન થતા ચકચાર મળી જવા પામી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.