ધુમ્મસભર્યા વાતાવરણને કારણે 30 જેટલા વાહનો એકબીજા સાથે ભટકાયા, સર્જાયો લાંબો ટ્રાફિક જામ


  • Published By :
  • Published Date : 2023-02-07 11:25:13

હાલ રાજ્યમાં બેવડીઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વિઝિબિલિટી ઘટતા અકસ્માત થવાનું સંકટ રહેતું હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક બીજા સાથે ભટકાયા છે. ટક્કરને કારણે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.   


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે થયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે. અનેક વખત ઓવર સ્પીડને કારણે એક્સિડન્ટ થતા હોય છે તો કોઈ વખત વિઝિબિલિટી ઘટતા અકસ્માત થતા હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનોની ટક્કર થઈ છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક સાથે ભટકાયા હતા. 


ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા 

મળતી માહિતી અનુસાર વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ટ્રક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. કેટલાંય લોકોને આ અકસ્માતને કારણે ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.