માલદીવની જેમ હવે બાંગ્લાદેશમાં પણ 'ઈન્ડિયા આઉટ' અભિયાન, ભારત વિરોધી BNPએ શરૂ કરી કેમ્પેઈન


  • Published By :
  • Published Date : 2024-01-16 14:04:12

ભારતના એક સમયના મિત્ર દેશ માવદીવમાં ઈન્ડિયા આઉટનો નારો ચલાવીને સત્તામાં આવેલા મુઈજ્જુ બાદ હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી( બીએનપી)એ આ અભિયાન શરૂ કર્યું છે. બીએનપીએ બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ એટલે કે ભારતને બહાર કાઢો અભિયાન શરૂ કર્યું છે. બીએનપીનું આ આંદોલન મુઈજ્જુની પાર્ટી પીએનસીના ગત વર્ષે શરૂ કરવામાં આવેલા કેમ્પેઈન જેવું જ છે. જેમાં તેમણે ઈન્ડિયા આઉટનો નારો આપીને પોતાના દેશમાં ભારતની દખલ ઓછી કરવાની વાત કરી હતી, આ આંદોલન બાદ બંને  દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. હવે બાંગ્લાદેશનો મુખ્ય વિરોધ પક્ષ બીએનપી પણ ભારતના માર્ગે છે. ઉલ્લેખનિય છે કે બીએનપી ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પાર્ટી મનાય છે. 


તારીક રહેમાન ચલાવી રહ્યા છે અભિયાન 

 

બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ આંદોલન પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન ચલાવી રહ્યા છે. તારીક રહેમાન બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ છે. તારીક પર દેશમાં અનેક કેસ ચાલી રહ્યા છે, તેથી તે ઘણા સમયથી લંડનમાં જ રહે છે. જો કે તેમણે તેમનાી પાર્ટીના કાર્યકરોને માલદીવની જેમ ભારત વિરોધી આંદોલન ચલાવવાની સૂચના આપી છે. જેમાં બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી ભાવનાને ઉશ્કેરવાનો પણ હેતું છે. બીએનપી સાયબર સેલએ સોશિયલ મીડિયા પર આ અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીની સાયબર વિંગના સભ્યો સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી નફરત ફેલાવી રહ્યા છે.   



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?