આર્યન ખાન ડ્રગ્સ કેસ: CBI સમક્ષ હાજર થયા સમીર વાનખેડે, શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માંગવાનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-20 15:52:24

NCBના પૂર્વ રિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આર્યન ખાન ડ્ર્ગ્સ કેસમાં CBI સમક્ષ હાજર થયા હતા. કોર્ડેલિયા ક્રૂઝ પરથી માદક ડ્ર્ગ્સની જપ્તીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામેલ નહીં કરવાના બદલે 25 કરોડ રૂપિયાની લાંચ માગવા સંબંધિત કેસમાં પૂછપરછ માટે મુંબઈ સ્થિત CBIની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે એજન્સીના કાર્યાલયમાં જતા સમયે મીડિયાકર્મીઓને માત્ર એટલું જ કહ્યું 'સત્યમેવ જયતે'


વાનખેડે પર લાંચ અને ખંડણીનો આરોપ


CBIએ આ મામલે પૂછપરછ માટે ગુરુવારે વાનખેડેને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે દિવસે તે એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. આર્યન ખાન વિરુદ્ધ પુરાવાના અભાવે NCBએ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેનું નામ સામેલ કર્યું ન હતું. CBIએ 11 મેના રોજ વાનખેડે અને અન્ય ચાર લોકો સામે NCBની ફરિયાદ પર કથિત કાવતરું અને લાંચ સાથે સંબંધિત ગુનાઓ ઉપરાંત ગેરવસૂલી માટે FIR નોંધી હતી. ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ખંડણી અને લાંચ લેવાના આરોપમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી CBI FIRને રદ કરવા માટે અરજી કરી હતી.


બોમ્બે હાઈકોર્ટે CBIને કર્યો હતો આદેશ


બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે સીબીઆઈને શાહરૂખ ખાન પાસેથી રૂ. 25 કરોડની લાંચ માંગવાના આરોપી વાનખેડે સામે 22 મે સુધી ધરપકડ જેવી કોઈ કઠોર કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આર્યનની 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પછી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, એન્ટી-નાર્કોટિક્સ એજન્સી આર્યન સામેના આરોપોને સાચા સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી, ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટે તેને ત્રણ અઠવાડિયા પછી જામીન આપ્યા હતા.


CBIએ આરોપ મૂક્યો હતો કે NCB,મુંબઈ ઝોનને ઑક્ટોબર 2021માં ક્રૂઝ શિપ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા ડ્રગ્સ રાખવા અને સેવન કરવાની માહિતી મળી હતી, જેના પગલે NCBના કેટલાક અધિકારીઓએ આરોપીઓને છોડાવવાના બદલામાં લાંચ માંગવાનું ષડયંત્ર રચ્યું હતું. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!