CBIએ સમીર વાનખેડે સામે નોંધી FIR,શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માગી હોવાનો ફરિયાદમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-15 19:22:45

આર્યન ખાન કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલી વધી છે. સમીર વાનખેડે વિરૂધ્ધ સીબીઆઈના દરોડા બાદ મોટો ખુલાસો થયો છે. આર્યન ખાન કેસમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાન પાસે રૂ. 25 કરોડની લાંચ માગી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં સમીર વાનખેડે સામે સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. 


શાહરૂખાનને આપી હતી ધમકી


સ્વતંત્ર સાક્ષી કેપી ગોસાવીએ આ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પરિવારને ધમકી આપી હતી કે જો તે 25 કરોડ નહીં આપે તો તેમના દિકરાને નશીલા પદાર્થના કેસમાં ફસાવી દેવામાં આવશે. સીબીઆઈએ આ કેસમાં સમીર વાનખેડે, એનસીબીના સુપ્રીટેન્ડન્ટ વીવી સિંહ અને આર્યન ખાન કેસના તપાસ અધિકારી આશીષ રંજનને આરોપી બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેપી ગોસાવીની આર્યન ખાન સાથેની એક સેલ્ફી પણ વાયરલ થઈ હતી, આર્યન ખાન જ્યારે NCB અધિકારીઓની કસ્ટડીમાં હતો ત્યારે જ ક્લિક કરવામાં આવી હતી.


સોદો 18 કરોડમાં થયો હતો


આર્યનની ધરપકડ બાદ તેના પરિવારજનો પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે આ 18 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ હતી, ત્યારબાદ 50 લાખ રૂપિયા એડવાન્સ પણ આપવામાં આવ્યા હતા. NCB દ્વારા અનુગામી આંતરિક તપાસમાં સ્વતંત્ર રીતે સમીર વાનખેડે અને આશિષ રંજન દ્વારા ગુનાહિત ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપો બહાર આવ્યા છે. તેમની મિલકત પણ તપાસ હેઠળ આવી હતી. વાનખેડે પોતાના વિદેશ પ્રવાસનો  પણ યોગ્ય હિસાબ આપી શક્યા નથી. સીબીઆઈ દ્વારા વિજિલન્સ રિપોર્ટના આધારે પ્રાથમિક તપાસ બાદ વાનખેડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ એફઆઈઆર નોંધ્યા બાદ આ કેસમાં સમીર વાનખેડેના નિવાસસ્થાન અને ઓફિસ સહિત 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.