માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી આ તારીખે વિધિવત્ત રીતે થશે ભાજપના, ભાજપમાં જોડાયા પછી કરશે ભાજપના ગુણગાન!


  • Published By :
  • Published Date : 2024-03-11 16:28:32

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, કાર્યકર્તાઓ પોતાની પાર્ટીનો સાથ છોડી કેસરિયો ધારણ કરી રહ્યા છે. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ઉપરાંત પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં 14 માર્ચે જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે. 14 માર્ચે તે કેસરિયો ધારણ કરવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે પોતાના પક્ષમાંથી તેમજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે આની પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપરૂપી ગંગામાં પવિત્ર થવા માટે ડૂબકી લગાવી દીધી છે. 


ધારાસભ્યો રાજીનામું આપી કરી રહ્યા છે કેસરિયો ધારણ!

ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. દરેક મતદાતાએ પોતાના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યને મત આપી જીતાડી દીધા. મતદાતા જ્યારે મતદાન કરતા હોય છે ત્યારે તે વિચારતા હોય છે કે તેમણે આ પક્ષના ધારાસભ્યને જીતાડ્યા છે અને આગામી પાંચ વર્ષ સુધી તે જ તેમના ધારાસભ્ય રહેશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે. થોડા સમયથી આવા સમાચાર આવવા સામાન્ય બની ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષના ધારાસભ્યો પોતાના પદને છોડી જઈ રહ્યા છે. 



અરવિંદ લાડાણી 14 માર્ચે ભાજપમાં જોડાશે

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. આજે મહેશ વસાવા અને મહેશ પટેલ ભાજપમાં જોડાયા હતા અને 14 માર્ચે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કેસરિયો ધારણ કરવાના છે તેવી માહિતી સામે આવી છે. અરવિંદ લાડાણીએ જ્યારે પોતાનું પદ છોડ્યું તે બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે મતદાતાઓએ તેમને પ્રેશર આપ્યું અને તે બાદ તેમણે પોતાનું પદ છોડ્યું. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા તેમજ અંબરીશ ડેર સહિત હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદને છોડે છે ત્યારે તે પોતાના મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. 

     



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.