માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી આ તારીખે વિધિવત્ત રીતે થશે ભાજપના, ભાજપમાં જોડાયા પછી કરશે ભાજપના ગુણગાન!


  • Published By :
  • Published Date : 2024-03-11 16:28:32

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, કાર્યકર્તાઓ પોતાની પાર્ટીનો સાથ છોડી કેસરિયો ધારણ કરી રહ્યા છે. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ઉપરાંત પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં 14 માર્ચે જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે. 14 માર્ચે તે કેસરિયો ધારણ કરવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે પોતાના પક્ષમાંથી તેમજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે આની પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપરૂપી ગંગામાં પવિત્ર થવા માટે ડૂબકી લગાવી દીધી છે. 


ધારાસભ્યો રાજીનામું આપી કરી રહ્યા છે કેસરિયો ધારણ!

ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. દરેક મતદાતાએ પોતાના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યને મત આપી જીતાડી દીધા. મતદાતા જ્યારે મતદાન કરતા હોય છે ત્યારે તે વિચારતા હોય છે કે તેમણે આ પક્ષના ધારાસભ્યને જીતાડ્યા છે અને આગામી પાંચ વર્ષ સુધી તે જ તેમના ધારાસભ્ય રહેશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે. થોડા સમયથી આવા સમાચાર આવવા સામાન્ય બની ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષના ધારાસભ્યો પોતાના પદને છોડી જઈ રહ્યા છે. 



અરવિંદ લાડાણી 14 માર્ચે ભાજપમાં જોડાશે

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. આજે મહેશ વસાવા અને મહેશ પટેલ ભાજપમાં જોડાયા હતા અને 14 માર્ચે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કેસરિયો ધારણ કરવાના છે તેવી માહિતી સામે આવી છે. અરવિંદ લાડાણીએ જ્યારે પોતાનું પદ છોડ્યું તે બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે મતદાતાઓએ તેમને પ્રેશર આપ્યું અને તે બાદ તેમણે પોતાનું પદ છોડ્યું. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા તેમજ અંબરીશ ડેર સહિત હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદને છોડે છે ત્યારે તે પોતાના મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. 

     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.