Arvind Kejriwalએ Supreme Courtમાંથી અરજી પાછી ખેંચી, Gujaratમાં ઠેર ઠેર AAPના કાર્યકર્તાઓનો વિરોધ, જુઓ વિરોધના દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-03-22 13:57:03

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ગઈકાલે ધરપકડ કરી લીધી હતી. લાંબી પૂછપરછ બાદ મોડી રાત્રે તેમને ઈડી લઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમણે અરજીને પરત ખેંચી લીધી છે. મહત્વનું છે કે ધરપકડ થયા બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર તેમણે ખખડાવ્યા હતા અને તરત સુનાવણી કરવામાં આવે તેવી માગ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને સ્વીકારી પણ લીધી હતી અને સુનાવણી માટે ત્રણ જજની બેન્ચ પણ તૈયાર કરાઈ હતી.આ બધા વચ્ચે ઈડી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ઈડીએ કોર્ટને કહ્યું કે કોઈ પણ નિર્ણય સંભળાવતા પહેલા અમને સાંભળો. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે તેમની અરજીને પાછી ખેંચી લીધી છે. 

ઠેર ઠેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો વિરોધ

દેશભરમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ, કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા. પોલીસ તેમને ટિંગાટોળી કરીને લઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વિરોધમાં જોડાયેલા કોંગેસના કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે બાદ ગુજરાતના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.