જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસંબોધન, પીએમ મોદી વિરૂદ્ધ લાગેલા પોસ્ટરને લઈ કરાયેલી કાર્યવાહીનો આપ કરશે વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-03-23 10:18:30

દિલ્હીમાં અનેક જગ્યાઓ પર વડાપ્રધાન મોદી વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લાગતા રાજનીતિ ગરમાઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી છે ઉપરાંત અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિરૂદ્ધ આમ આદમી પાર્ટી ગુરૂવારે જંતર મંતર ખાતે વિરોધ કરવાના છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેવાના છે.

  

પોસ્ટરને લઈ સરકાર પર કરાઈ રહ્યા છે પ્રહાર 

મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગતા દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આવા પોસ્ટરો લાગતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોસ્ટરને લઈ વિપક્ષે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. 

જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસભા   

આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે 6 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આજે ગુરૂવારે જંતર-મંતર ખાતે સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જનસભા સંબોધિત કરવાના છે. આ જનસભા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના વિરૂદ્ધમાં કરવામાં આવી રહી છે.


સમગ્ર દેશમાં ચલાવાશે મોદી હટાઓ દેશ બચાવો અભિયાન 

દિલ્હી સરકારના મંત્રી અને આપના નેતા ગોપાલ રાયના જણાવ્યા અનુસાર આ જનસભામાં પાર્ટીના તમામ વિધાયકો, સાંસદ, પદાધિકારી ઉપસ્થિત રહેશે. ઉપરાંત મંચ પરથી મોદી હટાવો દેશ બચાવોના નારા પણ લગાવવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ રાયે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી પોલીસની કાર્યવાહીથી નથી ડરતી. એવી પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારથી સમગ્ર દેશમાં મોદી હટાઓ દેશ બચાઓ અભિયાન શરૂ કરવામાં આવશે. અને આ નારાને 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી સુધી લઈને જવામાં આવશે.  

       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!