ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલને કરવો પડ્યો વિરોધનો સામનો


  • Published By :
  • Published Date : 2022-10-29 16:08:42

ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં અનેક વખત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ફરી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ચીખલી ખાતે અરવિંદ કેજરીવાલ પ્રચાર માટે જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા.


ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો વીડિયો   

ભાજપ અને કોંગ્રેસ સિવાય પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી આટલા જોરશોરથી પ્રચાર કરી રહી છે. પંજાબ અને દિલ્હીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યું છે. અરવિંદ કેજરીવાલ પોતે આપનો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં તેમના આંટાફેરા વધી ગયા છે. હાલ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતમાં આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ચીખલી જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. આ વીડિયો ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, સ્વાગતતો મોદી-મોદીના નારાથી જ થવાનું છે. 

pm modi in gujarat, PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, મોઢેશ્વરી  માતાની કરશે પૂજા - pm modi in gujarat for three days - I am Gujarat

ફરી એક વખત ગુજરાત આવશે પીએમ મોદી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પણ પોતાના પ્રચારમાં લાગી ગયું છે. વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીનો આ પ્રવાસ ચૂંટણી પૂર્વેનો અંતિમ પ્રવાસ હોવાનું માનવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અનેક સ્થળો પર જનસભાને પણ સંબોધવાના છે.            



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.