કેજરીવાલના ઊંઝા પ્રવાસ પહેલા વિરોધ, મંદિરમાં પ્રવેશવા ન દેવા હિંદુ સંગઠન મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 20:39:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજયના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  કેજરીવાલ આવતીકાલે 17 ઓક્ટોબરે ઊંઝાનો પ્રવાસ કરશે. જો કે આ તેમની ઉંઝા મુલાકાત પહેલા વધુ એક વિવાદ સામે આવ્યો છે. 


કેજરીવાલને ઉમિયા મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ


અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં પ્રવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા  ઉમિયા માતાજી સંસ્થાનને લેખિત પત્ર આપીને મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ કરવામાં આવી હતી..મંદિરને રાજકીય અખાડો ન બનાવીને સરભરા નહીં કરવા માંગણી કરી હતી. પત્રમાં AAPના મંત્રીઓ અને નેતાઓ હિન્દુ દેવી દેવતામાં આસ્થા નહીં રાખતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પત્ર કોણે લખ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી.આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે મંદિરમાં પ્રવેશ મુદ્દે ઉમિયા માતાજી સંસ્થાનને શું નિર્ણય લીધો તે જાણી શકાયું નથી.


AAP નેતા ગોપાલ ઈટાલીયા રાજેન્દ્ર પાલ ગૌતમને લઈ થયો હતો વિવાદ


અત્રે ઉલ્લખેનીય છે કે દિલ્લીના પૂર્વ મંત્રી અને AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમની ધર્માંતરણના કાર્યક્રમમાં હાજરી અને હિન્દૂ દેવી-દેવતામાં આસ્થા નહીં રાખવાના શપથને કારણે આમ આદમી પાર્ટી અને કેજરીવાલની છબી ખરડાઈ છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલીયાનો પણ એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે કહ્યું  હતું કે મહિલાઓએ મંદિરમાં અને કથામાં ન જવું જોઈએ, કેમ કે ત્યાં મહિલાઓનું શોષણ થાય છે.આ બે બાબતોને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.