Arvind Kejriwalને EDએ ચોથી વખત પાઠવ્યું સમન્સ, લિકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ઈડીએ આ તારીખે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-13 10:04:44

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. લીકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજકને સમન્સ મોકલવામાં આવ્યું છે. 18 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ત્રણ વખત ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે ત્રણેય વખત હાજર રહ્યા ન હતા.

ચોથી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે 

પ્રવર્તન નિર્દેશાલય એટલે ઈડીએ દિલ્હી લિકર પોલીસી કેસમાં પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે હાજર થવા માટે. 18 જાન્યુઆરીએ હાજર રહેવા માટે સમન્સ મોકવામાં આવ્યું છે અને આ વખતે મોકલવામાં આવેલું સમન્સ ચોથી વારનું છે. ઈડીએ આની પહેલા ત્રણ વખત તેમને હાજર રહેવા માટે નોટિસ મોકલી હચી પરંતુ તે હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ આની પહેલા આશંકા વ્યક્ત કરી હતી કે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 

કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ  શકે ધરપકડ? | arvind kejriwal ed summon disobey when ed arrest aap chief  kejriwal

આની પહેલા ક્યારે ક્યારે ઈડીએ પાઠવ્યું છે કેજરીવાલને સમન્સ?  

ઈડીએ હજી સુધી પાઠવેલા સમન્સની વાત કરીએ તો 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 તેમજ 3 જાન્યુઆરી 2024ના રોજ હાજર થવા માટે જણાવ્યું હતું. પરંતુ ત્રણેય વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીએ આ સમન્સને ગેરકાયદેસર ગણાવી હતી. ઈડી દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે જોવું રહ્યું છે 18 જાન્યુઆરીએ ઈડી સમક્ષ પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે કે નહીં.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.