Arvind Kejriwalની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો મોટો દાવો! કહ્યું 28 માર્ચે Arvind Kejriwal જણાવશે ક્યાં ગયા દારૂ કૌભાંડના પૈસા?


  • Published By :
  • Published Date : 2024-03-27 16:14:14

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ઈડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. અરવિંદ કેજરીવાલની જ્યારે ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ નેતાઓ ત્યાં હાજર હતા ઉપરાંત કોંગ્રેસના પણ નેતાઓ હાજર હતા. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ લોકો સમક્ષ આવે છે. થોડા સમય પહેલા પણ સુનિતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે. સુનીતા કેજરીવાલે કહ્યું કે આવતી કાલે અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશ સામે બતાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા.?

સુનીતા કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ અને કહ્યું કે... 

છેલ્લા ઘણા સમયથી ઈડીએ પૂછપરછ માટે હાજર થવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અનેક સમન્સ પાઠવ્યા. પરંતુ તે હાજર થયા ના હતા અને અંતે ઈડી મુખ્યમંત્રીના ઘરે પહોંચી. પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે એક પત્ર મોકલ્યો હતો. તે વખતે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આજે ફરી એક વખત તેમણે  એક નિવેદન બહાર જારી કર્યું છે. એ નિવેદનમાં સુનીતા કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે કે 28 માર્ચે અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશને બતાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા? સુનિતા કેજરીવાલે કહ્યું કે તપાસ દરમિયાન એક પણ રૂપિયો નથી મળ્યો. 


જે દિવસે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે... 

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ જે સમયે થઈ હતી તેને લઈ અનેક સવાલો થયા હતા. જે દિવસે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે દિવસે ચૂંટણી બોન્ડના ડેટા સામે આવવાના હતા.. કઈ પાર્ટીને કોણે દાન આપ્યું તેની જાણકારી સામે આવવાની હતી.! અનેક લોકો આ ઘટનાને અને કેજરીવાલની ધરપકડને એક સાથે જોઈ રહ્યા છે. ત્યારે સૌ કોઈની નજર આવતી કાલ પર છે કારણ કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા તેની જાણકારી અરવિંદ કેજરીવાલ આપવાના છે સુનીતા કેજરીવાલના કરવામાં આવેલા દાવા પ્રમાણે 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.