અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશનને લઈ ભાજપના આરોપ! ભાજપના પ્રશ્ન પર AAPએ PMને કયા ખર્ચાઓ યાદ કરાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-26 16:00:45

આમ આદમી પાર્ટી અને ભાજપ અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર પ્રહાર કરતા રહે છે. ત્યારે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચર્ચામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના ઘરને લઈ ભાજપે એક દાવો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના સરકારી આવાસને તેમજ ઓફિસના રિનોવેશન પાછળ 45 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. કેજરીવાલ ઘરમાં નહીં પરંતુ શિશ મહેલમાં રહે છે. તેમને રાજીનામું આપી દેવું જોઈએ. તો આ વાત પર આમ આદમી પાર્ટીએ જવાબ આપ્યો છે.

 

અરવિંદ કેજરીવાલને લઈ સંબિત પાત્રાએ પૂછ્યા સવાલ! 

સંબિત પાત્રાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલને મહારાજા તરીકે સંબોધ્યા હતા. અરવિંદ કેજરીવાલ મહારાજની સ્ટોરી ન ચલાવવા માટે મીડિયાને પણ લાલચ આપવામાં આવી રહી છે. જ્યારે કેજરીવાલને પ્રશ્ન પૂછવામાં આવે છે તો તે કહે છે કે વડાપ્રધાન કઈ કારમાં ફરે છે? વધુમાં તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલના બંગલા માટે પસંદ કરવામાં આવેલા આઠ પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રુપિયાથી વધુ છે, જ્યારે સૌથી સસ્તા પડદાની કિંમત 3.57 લાખ રુપિયાની છે. પ્રી ફેબ્રિકેટેક લાકડાની દિવાલો પર 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  

પીએમ મોદી વિશે આમ આદમી પાર્ટીએ કરી આ વાત!

આ મામલે જવાબ આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ ઘર 80 વર્ષ જૂનું છે. અનેક રૂમોની છત પડી ગઈ હતી. જેને કારણે રિનોવેશન કરાવવાની જરૂર હતી. આમ આદમી પાર્ટીના નેતા તેમજ સાંસદ સંજય સિંહે જવાબ તો આપ્યો પરંતુ સાથે સાથે વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનું ઘર ઠીક કરવા માટે 500 કરોડનો ખર્ચ થયો. 8400 કરોડનું જહાજ ખરીદ્યું. પીએમ મોદી 12 કરોડની ગાડી ચલાવે છે. સવા લાખ રૂપિયાની પેન રાખે છે. 10 લાખનો સૂટ પહેરે છે. 1.6 લાખના ચશ્મા પહેરે છે. આ વાત પર ભાજપ પ્રશ્ન નથી ઉઠાવતી.             



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!