સૌરાષ્ટ્ર પર અરવિંદ કેજરીવાલની નજર, પ્રચાર માટે કરાયું રોડ-શોનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-11-06 09:31:29

ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી પોતાની સ્ટાઈલમાં મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. અરવિંદ કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પ્રચાર અભિયાન અંતર્ગત કેજરીવાલ રોજકોટમાં રોડ-શો કરવાના છે. 

Image

સાંજે રાજકોટમાં કેજરીવાલ કરશે રોડ-શો

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે, તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં રહી આપનો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ રોડ-શો યોજી શક્તિ પ્રદર્શન કરવાના છે. સાંજના 5 વાગ્યે રાજકોટના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમિયાન રાજકોટમાં આવેલી વિધાનસભા બેઠક પર તેમની નજર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ અગાઉ અંજાર ખાતે પણ તેમણે રોડ-શો યોજ્યો હતો. 

Gujarat AAP leader Indranil Rajguru leaves party to join Congress,

ઈન્દ્રનીલને લઈ આપી પ્રતિક્રિયા 

રવિવારના દિવસે રોડ-શો હોવાને કારણે તેઓ શનિવારના રોજ રાજકોટ પહોંચી ગયા હતા. રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર ઈન્દ્રનીલના સમર્થકોએ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈન્દ્રનીલના આરોપો અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે આ બધુ બકવાસ છે. રાજ્યગુરૂ સીએમ ઉમેદવાર બનવા માંગ્તા હતા, પરંતુ તેમને ઉમેદવાર ન બનાવતા તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા.

અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં આજે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવવાના છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ઉપરાંત અશોક ગેહલોત પણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ રોડ-શો કરી મતદારોને રિઝવવા પ્રયત્ન કરવાની છે. ત્યારે કરવામાં આવેલા પ્રચારનું શું પરિણામ આવશે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!