નેત્રંગમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, ચૈતર વસાવા ભરૂચ લોકસભા સીટ માટે AAPના ઉમેદવાર જાહેર


  • Published By :
  • Published Date : 2024-01-07 17:36:46

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે નેત્રંગ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જનસભામાં અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને અને તેમના પત્ની શકુંતલાબેનને ખોટા કેસોમાં જેલમાં મોકલવામાં આવ્યા છે, આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, તથા યુવરાજ સિંહ જાડેતા સહિતના અગ્રણી નેતાઓએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. 


શું કહ્યું કેજરીવાલે?


વિશાળ જનસભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, હું ચૈતરભાઈ વસાવાને મળવા માટે ગુજરાત આવ્યો છું અને આવતીકાલે તેમને મળવા માટે રાજપીપળા જેલમાં જઈ રહ્યો છું. ચૈતરભાઈ વસાવા મારા નાના ભાઈ જેવો છે. મને આજે એ વાતનું સૌથી વધુ દુઃખ લાગી રહ્યું છે કે આજે ચૈતર વસાવાના પત્ની પણ જેલમાં છે. આ લોકોએ સમાજની વહુને પણ જેલમાં મોકલ્યા છે અને આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. શું આદિવાસી સમાજ આ અપમાનનો બદલો લેશે કે નહીં? જુના જમાનામાં ડાકુ આવતા પરંતુ તેઓ ક્યારેય પણ ગામની બહેન દીકરીઓને હાથ નહોતા લગાડતા. પરંતુ આ ભાજપના લોકો ડાકુઓ કરતા પણ બદતર છે. હું આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા માંગુ છું કે, આવનારી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે. અમે ચૈતરભાઈ અને તેમના પત્ની માટે મોટા મોટા વકીલ રાખ્યા છે અને 20 તારીખના રોજ શકુંતલાબેનની બેલની અરજી સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવશે. ત્યારબાદ ઝડપથી ચૈતરભાઈને પણ બહાર નીકળવામાં આવશે. પરંતુ જો તેમને ષડયંત્ર કરીને જેલમાં જ રાખવામાં આવ્યા, તો તમામ લોકોની એ જવાબદારી છે કે ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવામાં આવે. આદિવાસી સમાજના લોકોએ આ ચૂંટણી લડવી પડશે અને ચૈતરભાઈનો ફોટો લઈને ઘરે ઘરે જવું પડશે. આ ચૂંટણી તમે ચૈતરભાઇ માટે નથી લડવા જઈ રહ્યા, પરંતુ તમારે તમારા માટે અને આદિવાસી સમાજના ભવિષ્ય માટે આ ચૂંટણી લડવાની છે. ચૈતર ભાઈ વસાવાને દિલ્હીની સંસદમાં મોકલવાના છે. 


ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે  જેલમાં ગયા-ભગવંત માન 


ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ગુજરાત પધારેલા આમ આદમી પાર્ટીના અને પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે એક એવા વ્યક્તિના સમર્થન આવ્યા છીએ જેઓ આદિવાસી સમાજ માટે લડાઈ લડતા લડતા જેલમાં ગયા છે અને જેલમાંથી પણ એક ચિઠ્ઠી મોકલીને તેમણે સાબિત કર્યું છે કે તેમનો હોંસલો બુલંદ છે. ત્રણ "જ" આદિવાસી સમાજના છે, જળ જંગલ અને જમીન. અને એક આદિવાસી ખેડૂતની જમીન છીનવા માટે જ્યારે કેટલાક લોકો આવ્યા ત્યારે ચૈતરભાઈ તે ખેડૂતના સમર્થનમાં ઊભા થઈ ગયા હતા. એટલા માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. આજે ચૈતરભાઈના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. હું તમામ લોકોને કહેવા માગું છું કે બસ થોડા સમયમાં જ ચૈતરભાઇ વસાવા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!