Election પહેલા Arvind Kejriwalની ધરપકડ BJPને નુકસાન કરાવશે? ધરપકડ બાદ વિપક્ષી નેતાઓએ આપી પ્રતિક્રિયા, Rahul Gandhi કેજરીવાલના પરિવારને મળશે!


  • Published By :
  • Published Date : 2024-03-22 11:46:59

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના સમર્થનમાં કોંગ્રેસ પણ આવ્યું છે. ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે ના માત્ર આપના નેતાઓ ત્યાં હાજર હતા પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર હતા. એવી માહિતી પણ સામે આવી છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કેજરીવાલના પરિવારને મળવા જવાના છે. 

ઈન્ડિયા ગઠબંધનની દેખાઈ એકતા!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે ઈડી દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પરંતુ તે હાજર થયા ન હતા. ત્યારે ગઈકાલે ઈડી તેમના ઘરે પહોંચી હતી, તપાસ કરી, 2 કલાક સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓમાં તો રોષ જોવા  મળી રહ્યો છે પરંતુ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થયેલી બીજી પાર્ટીઓ દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે પ્રતિક્રિયા આપી હતી. અખિલેશ યાદવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. 

રાહુલ ગાંધી આજે કરી શકે છે કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત 

વિપક્ષી પાર્ટી દ્વારા અનેક વખત ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રિઝ થવા બાબતે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ મામલો શાંત નથી થયો તે પહેલા તો ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી ગઈ. જ્યારે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી તે વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ તો હાજર હતા પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા. રાહુલ ગાંધી આજે અરવિંદ કેજરીવાલના પરિવારને મળવા જવાના છે.      



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.