સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, પોલીસે મામલો થાળે પાડ્યો


  • Published By :
  • Published Date : 2022-11-28 19:41:16


ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચેની તકરાર હિંસક બની રહી છે. જેમ કે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ રોડ શો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જ્યારે આ પથ્થરમારો શરૂ થયો, ત્યારે અરવિંદ કેજરીવાલ તેમની કારની અંદર ગયા અને જ્યારે તેમની સુરક્ષા ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી ત્યાર બાદ કાફલો આગળ વધ્યો હતો.


કેજરીવાલની રેલીમાં પથ્થરમારો


સુરતના વિધાનસભા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાના રોડ શોમાં અરવિંદ કેજરીવાલ જોડાયા હતા. સુરતના મગનનગર-2માં યોજાયેલા જબરદસ્ત રોડ શોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોમાં રોડ-શોને લઈને ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ રોડ શોમાં થયેલી બબાલને કારણે કાર્યકરો રોષે ભરાયા હતા. કતારગામમાં રોડ-શો દરમિયાન એક ગલીમાંથી કેજરીવાલના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજો અને AAP સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસ અને સુરક્ષા જવાનોએ સ્થિતિ કાબુમાં લીધી હતી. 


અગાઉ પણ થઈ હતી બબાલ


ચૂંટણી ટાણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સુરતમાં ખરાખરીનો જંગ જામ્યો છે. થોડા દિવસ પહેલા જ સુરતના કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે  જનસભા યોજાઇ રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પથ્થરમાંરો થયો હતો. જેમાં એક બાળકને છૂટા પથ્થરનો ઘા વાગતા તેને આંખમાં ગંભીર ઇજા થવા પામી હતી. બાળકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અંતે પોલીસ આવતા પરિસ્થિતી કાબુમાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.