મનીષ સિસોદિયાને CBIએ પાઠવેલા સમન્સ પર અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:48:39

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા પણ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે તે સમયે CBI દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કરતા આક્ષેપ લગાવ્યા છે. 

ગુજરાતનો દરેક વ્યક્તિ 'આપ'નો પ્રચાર કરશે - કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે મનીષના ઘરમાંથી કંઈ ન મળ્યું, બેંક લોકરમાંથી પણ કંઈ મળ્યું નથી. જૂઠો કેસ કરી તેમને ફસાવવામાં આવી રહ્યા છે. પ્રચાર માટે તેઓ ગુજરાત આવવાના હતા. પણ તેમને રોકી દેવામાં આવ્યા. પરંતુ ચૂંટણી પ્રચાર નહીં રોકાઈ જાય. ગુજરાતનો દરેક વ્યક્તિ આપનો પ્રચાર કરશે.


આપનો પ્રચાર કરવા સિસોદિયા આવ્યા છે ગુજરાતના પ્રવાસે  

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂનાવ મેદાનમાં ઉતરી છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મનીષ સિસોદિયા પણ આની પહેલા અનેક વખત ગુજરાતમાં આવી, આપનો પ્રચાર કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય કે આપ ભાજપ પર જે આરોપ લગાવી છે તે સાચા છે?     




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.