Chaitar Vasava સાથેની મુલાકાત બાદ Arvind Kejriwalએ આપી પ્રતિક્રિયા, કહ્યું ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે


  • Published By :
  • Published Date : 2024-01-08 14:44:15

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તો મનસુખ વસાવા તેમને લઈ નિવેદન આપે છે. આ બધા વચ્ચે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલથી આવેલા મુખ્યમંત્રીએ આજે રાજપીપળા જેલમાં રહેલા ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા. ચૈતર વસાવાની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે.  

પોલીસ સમક્ષ હાજર થયા હતા ચૈતર વસાવા  

નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવા નિવેદન આપે છે તેને કારણે ન્યુઝ બને છે તો કોઈ વખત આપના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ સંદેશો મોકલે છે એટલે ન્યુઝ બને છે. હંમણા બંનેને કારણે નર્મદા જિલ્લો ચર્ચામાં છે. છેલ્લા થોડા દિવસોથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. વન વિભાગના કર્મચારીને મારવા બદલ તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. પોલીસની પકડથી તે ફરાર હતા પરંતુ થોડા સમય પહેલા તે અચાનક પોલીસ સમક્ષ હાજર થયા. તે વખતે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. 


ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત સ્થાનિક લોકોએ રેલી કાઢી હતી. ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે. ચૈતર વસાવાના કામો લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા. ગઈકાલે નેત્રંગ ખાતે કેજરીવાલ ઉપરાંત ભગવંત માને જનસભાને સંબોધી. ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવી. 

ભાજપ સરકારે જૂઠા કેસમાં ચૈતર વસાવાને પકડ્યા છે - કેજરીવાલ 

રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન પહોંચ્યા હતા. મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે. ત્યારે જોવું રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં શું નવા નવા ખેલ જોવા મળે છે?  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.