Chaitar Vasava સાથેની મુલાકાત બાદ Arvind Kejriwalએ આપી પ્રતિક્રિયા, કહ્યું ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે


  • Published By :
  • Published Date : 2024-01-08 14:44:15

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તો મનસુખ વસાવા તેમને લઈ નિવેદન આપે છે. આ બધા વચ્ચે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલથી આવેલા મુખ્યમંત્રીએ આજે રાજપીપળા જેલમાં રહેલા ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા. ચૈતર વસાવાની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે.  

પોલીસ સમક્ષ હાજર થયા હતા ચૈતર વસાવા  

નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવા નિવેદન આપે છે તેને કારણે ન્યુઝ બને છે તો કોઈ વખત આપના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ સંદેશો મોકલે છે એટલે ન્યુઝ બને છે. હંમણા બંનેને કારણે નર્મદા જિલ્લો ચર્ચામાં છે. છેલ્લા થોડા દિવસોથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. વન વિભાગના કર્મચારીને મારવા બદલ તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. પોલીસની પકડથી તે ફરાર હતા પરંતુ થોડા સમય પહેલા તે અચાનક પોલીસ સમક્ષ હાજર થયા. તે વખતે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. 


ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત સ્થાનિક લોકોએ રેલી કાઢી હતી. ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે. ચૈતર વસાવાના કામો લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા. ગઈકાલે નેત્રંગ ખાતે કેજરીવાલ ઉપરાંત ભગવંત માને જનસભાને સંબોધી. ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવી. 

ભાજપ સરકારે જૂઠા કેસમાં ચૈતર વસાવાને પકડ્યા છે - કેજરીવાલ 

રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન પહોંચ્યા હતા. મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે. ત્યારે જોવું રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં શું નવા નવા ખેલ જોવા મળે છે?  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!