વડાપ્રધાનના સંબોધન પર અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યો સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:18:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ જામ્યો છે. ઈલેક્શન નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના મોટા નેતાઓ મેદાનમાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે. 

PM Modi Gujarat Visit: पीएम मोदी बोले, गुजरात अर्बन नक्सलियों को युवाओं की  जिंदगी बर्बाद नहीं करने देगा - PM Modi inaugurates various schemes worth  over Rs 8000 crores in Bharuch Gujarat

કોંગ્રેસ પર વડાપ્રધાને કર્યા પ્રહાર

3 દિવસના ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન મોદી આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા જ્યારે કોંગ્રેસનું નામ લઈને પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો બોલતા નથી, પરંતુ ગામડે ગામડે બેઠકો કરી રહ્યા છે. આ તેમની જૂની યુક્તિ છે. તેમણે કહ્યું કે મારે તમને સતર્ક કરવાના છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. 

UP Elections 2022: Congress exudes confidence of winning 100 seats, says  miracles do happen in politics | The Financial Express

દિલ્હીના મુખ્યમંત્રીએ પૂછ્યો પીએમને સવાલ

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સવાલ પૂછ્યો કે શું પીએમ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે? આમ જોવા જઈએ તો તેમની વાત પણ સાચી છે. ભાજપના પ્રમાણે કોંગ્રેસનું ગુજરાતમાં અસ્તિત્વ જ નથી તો પોતાના સંબોધનમાં પીએમે શા માટે કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.