ચૂંટણી ટાણે ધર્મઆધારીત રાજનિતી શરૂ, રાજ્યમાં ‘કેજરીવાલ ગો બેક’, ‘હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ’ના પોસ્ટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 16:14:20


વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. આજથી આપના નેતા અરવિંદ કેજરીવાલે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે વડોદરામાં કેજરીવાલનો વિરોધ થયો અને રસ્તા પર ‘કેજરીવાલ ગો બેક’લખવામાં આવ્યું છે. 


વડોદરાના માર્ગો‘કેજરીવાલ ગો બેક’ લખાયું


અરવિંદ કેજરીવાલના આજે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. વડોદરા શહેરમાં કેજરીવાલની તિરંગા યાત્રા યોજાઈ હતી. જો કે કેજરીવાલની યાત્રાના માર્ગ પર ‘કેજરીવાલ ગો બેક’ અને ” હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ” લખી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


AAP સામે પોસ્ટર વોર શરૂ


ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન વિકાસની વાતો હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે. રાજ્યમાં ધર્મઆધારીત રાજનિતી શરૂ થઈ ગઈ છે. હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવા માટે કેજરીવાલની મુસ્લીમ ટોપી પહેરોલા પોલ્ટર ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. લોકો પણ રોડ,રસ્તા, આરોગ્ય,શિક્ષણ અને મોંઘવારી જેવી સમસ્યાઓ ભૂલીને મતદાન કરે છે આ બાબત સારી રીતે જાણતો રાજકીય પક્ષ હવે ધર્મને મુદ્દો બનાવી રહ્યા છે. આજ સવારથી જ ગુજરાતમાં પોસ્ટર યુદ્ધ શરૂ ચૂક્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજ સવારથી જ લગાવવામાં આવેલા પોસ્ટરો દ્વારા કેજરીવાલ હિન્દુ વિરોધી છે તે સિધ્ધ કરવાનું છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.