દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને સુપ્રીમે આપ્યો ઝટકો, મોદી ડિગ્રી કેસમાં રાહત આપવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-08-25 17:25:22

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી ડિગ્રી કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કેજરીવાલની ટ્રાયલ પર સ્ટે મૂકવાની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી હતી કે હાઇકોર્ટ 29 ઓગસ્ટની સૂચિબદ્ધ તારીખે આ મામલે નિર્ણય કરશે. કોર્ટે કહ્યું કે 29 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણીની તારીખ નક્કી કરી છે. આશા છે તે દિવસે સુનાવણી કરી કરવાની જરૂર નથી.


સુપ્રીમ કોર્ટે કહ્યું પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી રિવિઝન પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી અહીં સાંભળવાની જરૂર નથી. આ કેસમાં નીચલી કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ કેજરીવાલ વિરુદ્ધ તેમના નિવેદન બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.


બંને પક્ષોએ શું દલીલ કરી?


સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, સમન્સ ઓર્ડર ખોટી રીતે જારી કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તુષાર મહેતાએ કહ્યું કે કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી યોગ્ય નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.