સુરતમાં ગણપતિ બાપ્પાના શરણે અરવિંદ કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:47:40



અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિતની જગ્યાઓ જગ્યા પર સભાઓ યોજી હતી. અરવિંદ કેજરીવાલે સુરતના સીમાડા નાકાના 'આપ કા રાજા' ગણપતિ પંડાલ ખાતે ગણપતિ બાપ્પાની મહાઆરતીમાં ભાગ લીધો હતો. 



અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે પોરબંદર ખાતે આગમન થયું હતું. દ્વારકાથી અરવિંદ કેજરીવાલે દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. દ્વારકામાં અરવિંદ કેજરીવાલે સભા સંબોધી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન અનેક વાયદાઓ પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ગઈકાલે ખેડૂતો માટે લોન માફી અને ટેકાના ભાવ મામલે 6 ગેરંટી આપી હતી. 


આજે અરવિંદ કેજરીવાલે રાજકોટના નીલ સિટી સેન્ટ્રલ રિસોર્ટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજકોટમાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરી અરવિંદ કેજરીવાલે વીજળીના કાર્ડનું વિતરણ કર્યું હતું. રાજકોટથી સુરેન્દ્રનગર જઈ અરવિંદ કેજરીવાલે સરપંચો સાથે ટાઉનહોલ મીટિંગ કરી હતી.   


ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે."



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.