સેશન્સ કોર્ટમાં હાજર ન થવું પડે તે માટે Arvind Kejriwalએ ખખડાવ્યા Gujarat Highcourtના દ્વાર! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-10 12:51:43

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સેશન્સ કોર્ટે સમન્સના હુકુમ સામેની રિવીઝન અરજી ફગાવી દેવામાં આવી છે. અરજી ફગાવવામાં આવતા બંને નેતાઓએ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચવાના છે. 


બંને નેતાઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રી મામલે વિવાદ સર્જાયો હતો તેના પર અધ્યતન માહિતી સામે આવી છે. ગુજરાત વિશ્વવિદ્યાલયે અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે બદનક્ષીભર્યા નિવેદનો બદલ ફરિયાદ કરી હતી. જેના પર બંને નેતાઓએ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર થવાથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બંને નેતાએ મેટ્રોપોલિટન કોર્ટે બહાર પાડેલા સમન્સને પડકારતી રિવિઝન અરજી દાખલ કરી હતી. જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી તો હવે બંને નેતા ગુજરાત હાઈકોર્ટ અદાલત પહોંચ્યા છે. આ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે. 


ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવે કરી હતી બદનક્ષીની ફરિયાદ   

આ કેસ મામલે વિગતવાર વાત કરીએ તો ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડોક્ટર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. તો મેટ્રો કોર્ટે બંને નેતાઓ સામે સમન્સ જાહેર કર્યા હતા. જે કે બંને નેતા ત્રણેક મહિનાથી કોર્ટમાં હાજર નહોતા થતા. જો કે અરવિંદ કેજરીવાલના વકીલે 13 જુલાઈના દિવસે દિલ્લીમાં પુરની પરિસ્થિતિ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ નહીં આવી શકે તેવી વાત રાખી હતી. આવું કહીને અરવિંદ કેજરીવાલના વકીલે 26 જુલાઈ સુધી અદાલત પહોંચવા માટે રાહત માગી હતી. દર વખતે એવું થતું હતું કે અરવિંદ કેજરીવાલના વકીલ મુક્તિ અરજી માગી લેતા હતા અને તેના કારણે બદનક્ષીની ફરિયાદ કરતા વકીલ જોરદાર વાંધો ઉઠાવતા હતા. 


આવતી કાલે આ મામલે હાથ ધરવામાં આવશે સુનાવણી

પછી બંને નેતાએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરીને મેટ્રોપોલીટન કોર્ટના હુકમને પડકાર્યો હતો. પછી કંટાળીને મેટ્રોપોલીટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી કે કોર્ટનો સમય બરબાદ કરવાનું બંધ કરો. આટલી રાહતો આપ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે હવે કોઈ રાહત નહીં મળે. તો આપણા ન્યાયતંત્રની ત્રુટીનો ફાયદો અથવા ન્યાય તંત્રની વ્યવસ્થાનો ઉપયોગ કરીને બંને કહો તો બંને ચાલે તેનો ઉપયોગ કરીને બંને નેતાએ ગુજરાતની વડી અલાદલમાં રિટ અરજી દાખલ કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાતની વડી અદાલતમાં તાત્કાલીક સુનાવણીની માગ પણ કરી હતી. તો હવે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં બંને નેતાઓ સામેની ગુજરાત વિશ્વવિદ્યાલયની બદનક્ષી કેસની સુનાવણી મુકરર થશે. આ કેસમાં હવે શું થશે એ આવતીકાલે જોવાનું રહેશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!