Chaitar Vasavaના સમર્થનમાં Arvind Kejriwal|7મી જાન્યુઆરીએ ડેડીયાપાડામાં વિશાળ સંમેલન


  • Published By :
  • Published Date : 2023-12-26 17:03:25

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને લઈ સમાચારો સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા કે ચૈતર વસાવા ભલે ગમે ત્યાં હશે પરંતુ લોકસભાની ચૂંટણી લડશે. તમામ કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ ગુજરાત આવશે અને ડેડીયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.  

પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે હતા હજારો સમર્થકો 

લોકસભા ચૂંટણીને માત્ર હવે થોડા મહિનાનો સમય બાકી છે. 2024માં ગમે ત્યારે ચૂંટણીને લઈ એલાન થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એવી જાણકારી સામે આવી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. ચૂંટણીને લઈ તૈયારી કરવા માટે પણ ચૈતર વસાવાએ સંદેશ આપ્યો છે. વન કર્મીને માર મારવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. એક મહિનાથી વધારે સમય સુધી તેઓ ફરાર રહ્યા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેમણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આવી આત્મસમર્પણ કર્યું.  

ડેડીયાપાડા આવશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 

જ્યારે પોલીસ સ્ટેશને આત્મ સર્મપણ કરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા. ચૈતર વસાવા ભલે અત્યારે જેલમાં છે પરંતુ તેમને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનસમર્થન મળી રહ્યું છે ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે. ઉપરાંત ડેડીયાપાડામાં રેલીનું આયોજન પણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!