ટ્વિટ કરી અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલીયા અને ઈસુદાને કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 11:52:29

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ગુજરાતના સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. રાઘવ ચડ્ડાની નિયુક્તિ થયા બાદ રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે રાઘવ ચડ્ડાએ ગુજરાતમાં ચૂંટણીને લઈ પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

 

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પણ કરી ટ્વિટ

અરવિંદ કેજરીવાલની ટ્વિટને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. ઈસુદાને લખ્યું કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને સારી શિક્ષા મળે, મફતમાં સારુ સ્વાસ્થ મળે, પેપર લીક થયા વગર નોકરી મળે તે માટે જેલમાં જવું પડે તો ડરશો નહીં. 

  ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભ્રષ્ટ ભાજપને એટલો ડર લાગ્યો છે કે હવે બદલાની રાજનીતિ કરી રહ્યું છે.   



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.