નોટ પર ક્યારે અને કેવી રીતે આવ્યા ગાંધીજી? શું તેમની તસવીર હટાવી શકાય છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-26 21:52:26


જમાવટ મીડિયા, BY UTPAL DAVE


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટ પર મહાત્મા ગાંધીની સાથે-સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની ફોટો લગાવવાની વાત કરી હતી. કેજરીવાલના આ નિવેદનને ગુજરાત ચૂંટણી પહેલા હિંદુત્વ કાર્ડ રૂપે જોવામાં આવી રહ્યું છે. 


ચલણી નોટ પર ગાંધીજીની તસવીર ક્યારે છપાઈ? 


મહાત્મા ગાંધીના 100 મી જન્મજયંતી પર પહેલી વખત નોટ પર ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી.  ત્યાર બાદ 1987માં પહેલી વખત 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અને  તેના પર ગાંધીજીની તસવીર છપાઈ હતી. વર્ષ 1996માં રિઝર્વ બેંકએ મહાત્મા ગાંધી સીરીઝની નોટ છાપી હતી. નોટબંધી બાદ બે હજારની નવી નોટ છાપવામાં આવી હતી તેના પર પણ ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી. 


નોટ પર ગાંધીજીનું ચિત્ર શા માટે?


નોટ પર ગાંધીજીની તસવીર લગાવવાનો નિર્ણય રિઝર્વ બેંકે લીધો છે. આ નિર્ણય કરવા પાછળનું કારણ ગાંધીજી દેશના સર્વમાન્ય નેતા છે, તેમની છબી નિર્વિરોધ નેતાની છે. દેશના અન્ય નેતાઓની તસવીર છાપવામાં આવે તેને લઈને RBIએ એક સમિતિની રચના કરી હતી તેમાં તમામ સભ્યોએ મહાત્મા ગાંધીને સર્વસ્વિકૃત નેતા ગણાવ્યા હતા. નવેમ્બર 2014માં તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે RBIની કમિટીએ મહાત્મા ગાંધી સિવાય અન્ય નેતાઓની તસવીર નહીં છાપવાનો નિર્ણય કર્યો છે. તેનું કારણ આપતા કમિટીના સભ્યોએ જણાવ્યું કે કોઈ પણ નેતા ગાંધીજીથી વધુ દેશના સ્વભાવનું પ્રતિનિધિત્વ કરી શક્તા નથી.



નોટો પર તસવીર છાપવા અંગે RBI એક્ટ શું કહે છે?


દેશમાં તમામ પ્રકારની નોટો છાપવાનો નિર્ણય RBI દ્વારા લેવામાં આવે છે, પરંતુ તેમાં કેન્દ્ર સરકારની સંમતિ પણ હોય છે. નોટની જેમ તેના પર કોઈ પણ ફોટો છપાવવામાં આવશે. તેનો નિર્ણય પણ રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની સંયુક્ત પેનલે લે છે. રિઝર્વ બેંકના કાયદામાં નોટ પર ફોટો છાપવા અંગે કાયદો બનાવવામાં આવ્યો છે.


રિઝર્વ બેંકે માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું કે, ‘RBI એક્ટ 1934ની કલમ 25 હેઠળ કેન્દ્રીય બેંક અને કેન્દ્ર સરકાર મળીને નોટ અને તેના પર ચિત્ર છાપવાનો નિર્ણય કરે છે. જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો પણ બંનેની સંયુક્ત પેનલ તેના પર નિર્ણય લે છે. જો કે નોટ પર ચિત્ર છાપવાનો નિર્ણય નિયમો કરતાં વધુ રાજકીય પ્રેરિત છે અને તેમાં કેન્દ્ર સરકારની જ દખલગીરી વધુ છે.’



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે