આ તે કેવું વિચિત્ર! તમે કોન્ટ્રાક્ટ પર છો પણ સરકાર 27 વર્ષથી કાયમી, હવે સરકારને બેકાર કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:51:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રમક બન્યા છે. અરવિંદ કેજરીવાલ,ભગવંત માન અને મનિષ સિયોદિયા સહિતના નેતાઓ રાજ્યમાં જોરદાર ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. પંજાબ જીત્યા પછી આપ નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. આપ નેતાઓ ભાજપના 27 વર્ષના શાસનથી સર્જાયેલી એન્ટી ઈન્ક્મન્સીનો લાભ લેવા તલપાપડ થયા છે.  અરવિંદ કેજરીવાલ,ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ભગવંત માને ગુજરાત સરકાર પર ચાબખા વિંઝ્યા હતા. માને જણાવ્યું કે, તમે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ છો તમને આ ભાજપ સરકાર ક્યારેય પણ છુટ્ટા કરી શકે છે. તમને ગમે ત્યારે ઘર ભેગા કરી શકે છે, પરંતુ તમે લોકો એકની એક  ભાજપ સરકારનો કોન્ટ્રાક્ટ 27 વર્ષથી રિન્યુ કરી રહ્યા છો.


ભાજપની સરકારનો કોન્ટ્રાક્ટ આ વખતે રદ્દ કરવા ભગવંત માનની અપીલ


ભાજપની સરકારનો કોન્ટ્રાક્ટ આ વખતે રદ્દ કરી દો એટલે એમને પણ ખબર પડે કે બેરોજગારી શું છે અને બેરોજગાર બેસવું પડે તો કેવું દર્દ થાય છે. તેમને પણ તમારૂ દર્દ છે તેવું દર્દ એમને આપો. જેથી એ લોકોને તમારુ દર્દ સમજી શકાય. 27 વર્ષથી ચાલી રહેલા રાજના કારણે તેમને અહંકાર આવી ગયો છે. હવે તેમને નાગરિકોની કંઇ પડી નથી. પંજાબમાં અમે તમામ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કર્યા છે અને કાયમી કરી રહ્યા છીએ.


ભાજપના શાસન કરતા તો અંગ્રેજ શાસન સારું


ગુજરાતમાં આ વખતે નાગરિકોએ ઝાડું પકડી લેવાની જરૂર છે. ભાજપના આ શાસન કરતા તો અંગ્રેજ શાસન સારુ. આ સરકાર કોઇની લોન માફ કરી રહી છે, કોઇ બેંક લુટીને જઇ રહ્યા છે. કોઇ વિદેશમાં જમીનો મકાનો ખરીદી રહ્યા છે. ગરીબોને મોંઘવારી સિવાય કાંઇ જ મળ્યું નથી. આ આઝાદી તો ભગતસિંહ નહોતા ઇચ્છતા. સરકારી શાળામાં યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યું. ગરીબ બિમાર પડે તો સારવારના અભાવે લાઇનોમાં બેસી બેસીને અડધો મરી જાય છે.




આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.