અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, 45 કરોડના ખર્ચે બંગલાનું રિનોવેશન કરવા મામલે CBI કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-09-27 21:35:02

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે, કેજરીવાલ તેમના સત્તાવાર નિવાસસ્થાનને  45 કરોડના ખર્ચે રિનોવેશન કરાવવા મામલે હવે CBIએ કેસ દાખલ કર્યો છે. CBI હવે આ મામલાની તપાસ કરશે. અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને ઘણો વિવાદ થયો હતો, જે બાદ કેટલાંક મીડિયો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતં કે CBIએ તેને લઈને કેસ દાખલ કર્યો છે. દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટી આ આરોપ લગાવે છે કે CM કેજરીવાલના બંગલાના રિનોવેશન પર 45 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ પાર્ટી દાવો કરે છે કે રિનોવેશન દરમિયાન લાખો રુપિયાના પડદાં અને માર્બલ લગાડવામાં આવ્યા હતા.  


દિલ્હીના ઉપરાજ્યપાલે આપ્યો હતો આદેશ


આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવને સમગ્ર મામલામાં તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા સૂચના આપી હતી. તેમજ આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે ત્યાં કોઈ રિનોવેશન નથી પરંતુ જૂનાની જગ્યાએ નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આમાં તેની કેમ્પ ઓફિસ પણ છે. ઉપરાંત, ભાજપે દાવો કર્યો હતો કે આ કેસના દસ્તાવેજો દર્શાવે છે કે રૂ. 43.70 કરોડની મંજૂર રકમને બદલે, સ્ટાફ રોડ પર સ્થિત કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન સિવિલ લાઇન્સના 6 ફ્લેટની શકલ બદલવા માટે રૂ. 44.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજ દર્શાવે છે કે આ રકમ 9 સપ્ટેમ્બર, 2020 અને જૂન 2022 વચ્ચે 6 વખત ખર્ચવામાં આવી હતી. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યા હતા કે રિનોવેશન દરમિયાન બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં  ગરબડનો પણ આરોપ લગાવ્યો હતો.  


કેગએ પણ કરી હતી તપાસની ભલામણ 


કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો. રાજભવન દ્વારા તપાસના આદેશ અંગે માહિતી આપવામાં આવી હતી. રાજભવન વતી એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયને 24 મેના રોજ પત્ર મળ્યા બાદ વિશેષ CAG ઓડિટની ભલામણ કરવામાં આવી હતી. આ પત્ર એલજી ઓફિસમાંથી મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીએમ કેજરીવાલના સરકારી બંગલાના રિનોવેશનમાં નાણાકીય ગેરરીતિઓ જોવા મળી હતી. આમ આદમી પાર્ટી અને સીએમ ઓફિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


આ તપાસમાં કશું બહાર નહીં આવેઃ 'આપ'


AAPએ કહ્યું છે કે ભાજપે પોતાની તમામ તાકાત આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે વાપરી છે. હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે તમામ તપાસ એજન્સીઓને કામે લગાડવામાં આવી છે, પરંતુ દિલ્હીની 2 કરોડ જનતાના આશીર્વાદ અરવિંદ કેજરીવાલ પર છે. આ તપાસમાં કંઈ બહાર આવશે નહીં.




સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.