અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાનના ફોટો રાખવાને લઈને PMને પત્ર લખ્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 12:40:18

ગુજરાતની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવિંદ કેજરીવાલ આજે શુક્રવારથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન સવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મેં આજે વડાપ્રધાન મોદીજીને પત્ર લખ્યો છે, જેમાં 130 કરોડ ભારતીયો તરફથી નિવેદન કર્યું છે. કેજરીવાલે પત્રમાં ભારતની ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મી માતાની તસવીર પ્રિન્ટ કરાવવાની અપીલ કરી છે.


શું લખ્યું કેજરીવાલે પત્રમાં ???


અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે દેશના 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ઈન્ડિયન કરન્સી પર એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ ગણેશજીની તસવીર પર હોવી જોઈએ એવી અપીલ કરી છે. અત્યારે દેશની અર્થ વ્યવસ્થા ઘણા ખરાબ સમયથી પસાર થઈ રહી છે. તેવામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત વિકાસશીલ અને ગરીબ દેશોની યાદીમાં આવે છે. આપણા દેશમાં આજે પણ કેમ આટલા બધા લોકો ગરીબ છે અને કેમ?


એક બાજુ આપણે દરેક દેશવાસીઓએ મળીને મહેનત કરવાની જરૂર છે. જ્યારે બીજી બાજુ ભગવાનના આશીર્વાદ પણ આપણને ફળશે. તેવામાં યોગ્ય નીતિ, ભગવાનના આશીર્વાદ અને મહેનતના સંગમથી તરક્કી થશે.


કેજરીવાલે વધુમાં લખ્યું છેકે લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર ચલણી નોટો પર હોવા મુદ્દે મેં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. મારા આ નિવેદનને સમર્થન પણ મળી રહ્યું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી લોકો પણ ઈચ્છે છે કે આને તાત્કાલિક ધોરણે લાગૂ કરી દેવાય.





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.