અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે .....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 12:41:52

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી વધુને વધુ લોકો સાથે મળીને તેમની સમસ્યાઓ ઉકેલવાના વચનો આપી રહી છે. ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 20 સપ્ટેમ્બરના રોજ વડોદરા આવશે ત્યાં તેઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યકર્મ યોજશે અને સંભાવના છે કે શિક્ષણના મુદ્દે સંવાદ કાર્યક્રમ થાય કાલ વડોદરા ખાતે ટાઉન હૉલ કાર્યક્રમનો આયોજન થશે. 

અરવિંદ કેજરીવાલ પ્રવાસ બાદ બીજા કેટલાક ઉમેદવારોની લિસ્ટ જાહેર થશે 

જ્યારે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસએ છે ત્યારે તેમનાઆ પ્રવાસ બાદ ગુજરાતની અમુક બેઠકના ઉમેદવારોના નામ પણ જાહેર થાય એવી સંભાવના છે અત્યાર સુધી આપ દ્વારા 29 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે ત્યારે બધાને જાણવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તે કઈ બેઠકથી લડશે સૂત્રો ના કહ્યા મુજબ ગોપાલ ઇટાલિયા સુરતની વરાછા બેઠકથી ઊભા થઈ શકે છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.