આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કર્યું સંબોધન,પોતાના સંબોધનમાં મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ


  • Published By :
  • Published Date : 2023-04-11 16:58:00

નેશનલ પાર્ટી તરીકેનો દરજ્જો આમ આદમી પાર્ટીને મળી ગયો છે. સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. સોમવારે આ અંગેની જાહેરાત કરાતા આમ આદમી પાર્ટીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમિયાન પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટીથી દેશને નવી દિશા મળી છે.


રાજકીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ આપમાં આનંદ છવાયો  

ગઈ કાલે ચૂંટણી પંચ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ અનેક પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો હતો, ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી), તૃણુમુલ કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જ્યારે આમ આદમી પાર્ટીને રાજકીય દરજ્જો આપવામાં આવ્યો છે. પાર્ટીને દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં આનંદ છવાઈ ગયો હતો. ઉજવણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. 


અરવિંદ કેજરીવાલે દેશવાસિઓનો માન્યો આભાર

પોતાના સંબોધનમાં તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું કે રાષ્ટ્રીય પાર્ટી બનવું બહુ મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે હું  જ્યારે વિચારું છું તો લાગે છે કે અમારી કોઈ ઓકાત ન હતી. પરંતુ અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. મતલબ ભગવાન અમારી પાસેથી કઈ કરાવા માગે છે.આલોચના કરનારનો પણ આભાર માન્યો હતો. 

મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ 

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મનીષ સિસોદિયાની વાત કરતા તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાનો શું વાંક છે? તેમનો કસુર એટલો હતો કે તે ગરીબ છોકરાના સપનાઓને પાંખો આપી હતી. સત્યેન્દ્ર જૈને બધાની સારવાર મફત કરી હતી. રાષ્ટ્ર વિરોધી તાકતોએ બંનેને જેલમાં નાખી દીધા છે. બંને નેતાઓ ભગતસિંહના શિષ્યો છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.