કોંગ્રેસે આપ્યો કેજરીવાલને ઝટકો, કેન્દ્રના વટહુકમનું સંસદમાં કરશે સમર્થન, મલ્લિકાર્જુન ખરગેએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-05-29 17:31:44

દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટીંગ અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. કેન્દ્ર સરકારના આ વટહુકમને નિષ્ફળ બનાવવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તમામ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જો કે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી નથી. હવે આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ નિવેદન આપી કેજરીવાલનું સમર્થન કરવાનો ઈનકાર કર્યો છે.


કોંગ્રેસના નેતાઓની બેઠકમાં નિર્ણય


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું કે દિલ્હી કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે આ મામલે આમ આદમી પાર્ટીનો સાથ નહીં આપવાની સલાહ આપી છે. નેતાઓનું એવું કહેવું છે કે તેના કારણે પાર્ટીને નુકસાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેજરીવાલે બિહારના સીએમ નિતીશ કુમાર સાથે બેઠક કરી ત્યાર બાદ નિતીશ કુમારે તમામ વિપક્ષી પાર્ટીઓને કેન્દ્રના વટહુકમનો રાજ્ય સભામાં વિરોધ કરવાની અપીલ કરી હતી. આજ પ્રકારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ વિપક્ષોને એકજુથ થવાનું આહવાન કર્યું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.