AAP સત્તામાં આવશે તે રાજ્યોમાં હંગામી કર્મીઓને કાયમી કરશે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 18:42:06

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેર કરતા કહ્યું કે તેમની આમ આદમી પાર્ટી જે રાજ્યમાં સત્તામાં આવશે ત્યાં શોષણરૂપ હંગામી કર્મીચારીઓની પ્રથા બંધ કરશે અને હંગામી કર્મીઓને કાયમી કરી તમામ લાભો આપશે. તેમણે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારને પણ હંગામી કર્મચારીઓને કાયમી કરવાની ભલામણ કરી હતી.


પંજાબ સરકારે 8,736 શિક્ષકોને કાયમી કર્યા


પંજાબમાં આપની સરકારે 8,736 શિક્ષકોને કાયમી કરવાનો નિર્મણ લીધો હતો. કેજરીવાલે પંજાબની ભગવત માનની સરકારની પ્રસંશા કરતા શિક્ષકોને કાયમી કરવાના નિર્ણયને આવકાર્યો હતો. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે જે પણ રાજ્યમાં આપની સરકાર આવશે તે રાજ્યમાં હંગામી કર્મચારીનો કાયમી કરશે.


કોન્ટ્રાક્ટ સિસ્ટમનો કર્યો વિરોધ


કેજરીવાલે સરકાર દ્વારા અપનાવાતી કોન્ટ્રાક્ટ સિસ્ટમની આકરા શબ્દોમા ઝાટકણી કાઢી હતી તેમણે  કહ્યું કે આ પ્રથા અત્યંત શોષણ કરનારી  છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નોકરીઓમાં ઘટાડો કરવાના પ્રયાસોને પણ તેમણે વખોડ્યો હતો. કેજરીવાલે સવાલ કર્યો કે જો અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે તો નોકરીઓમાં કાપ શા માટે મુકવામાં આવી રહ્યો છે.




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.