AAP સત્તામાં આવશે તે રાજ્યોમાં હંગામી કર્મીઓને કાયમી કરશે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 18:42:06

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેર કરતા કહ્યું કે તેમની આમ આદમી પાર્ટી જે રાજ્યમાં સત્તામાં આવશે ત્યાં શોષણરૂપ હંગામી કર્મીચારીઓની પ્રથા બંધ કરશે અને હંગામી કર્મીઓને કાયમી કરી તમામ લાભો આપશે. તેમણે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારને પણ હંગામી કર્મચારીઓને કાયમી કરવાની ભલામણ કરી હતી.


પંજાબ સરકારે 8,736 શિક્ષકોને કાયમી કર્યા


પંજાબમાં આપની સરકારે 8,736 શિક્ષકોને કાયમી કરવાનો નિર્મણ લીધો હતો. કેજરીવાલે પંજાબની ભગવત માનની સરકારની પ્રસંશા કરતા શિક્ષકોને કાયમી કરવાના નિર્ણયને આવકાર્યો હતો. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે જે પણ રાજ્યમાં આપની સરકાર આવશે તે રાજ્યમાં હંગામી કર્મચારીનો કાયમી કરશે.


કોન્ટ્રાક્ટ સિસ્ટમનો કર્યો વિરોધ


કેજરીવાલે સરકાર દ્વારા અપનાવાતી કોન્ટ્રાક્ટ સિસ્ટમની આકરા શબ્દોમા ઝાટકણી કાઢી હતી તેમણે  કહ્યું કે આ પ્રથા અત્યંત શોષણ કરનારી  છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નોકરીઓમાં ઘટાડો કરવાના પ્રયાસોને પણ તેમણે વખોડ્યો હતો. કેજરીવાલે સવાલ કર્યો કે જો અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે તો નોકરીઓમાં કાપ શા માટે મુકવામાં આવી રહ્યો છે.




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.