કેજરીવાલ આપશે ગેરંટી, પણ એ ગેરંટીની 'ગેરંટી' કોણ આપશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 16:30:39

ફરી એકવાર ગુજરાત પ્રવાસે કેજરીવાલ, સૌરાષ્ટ્રના આ બે શહેરોની લેશે મુલાકાત


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આવતી કાલે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાત પ્રવાસે આવશે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં કેજરીવાલ રાજ્યની જનતા માટે વધુ એક મોટી જાહેરાત કરી શકે છે.  કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા પછી એક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારપછી 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે.


ગુજરાતની પ્રજા માટે કરી શકે મોટી જાહેરાત


આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલ 2 સપ્ટેમ્બરના દિવસે દ્વારકા પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત પણ કરવાના છે. 


કેજરીવાલના સમગ્ર કાર્યક્રમની વિગત


અરવિંદ કેજરીવાલ બપોરના સમયે દ્વારકામાં જનસભાને સંબોધશે.ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં તે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ટાઉનહોલ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરશે. કેજરીવાલ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આદિવાસીઓ માટે પણ મોટી જાહેરાત કરી શકે છે. 


ગેરંટીઓ પર ભાજપ-આપના સવાલ

કેજરીવાલ ગુજરાત આવીને એક પછી એક જાહેરાતો તો કરી રહ્યા છે પણ ભાજપ અને કૉંગ્રેસના  નેતાઓ આ ગેરંટીઓ પર જ સવાલ કરી રહ્યા છે કે દેડકાની જેમ ઉગી નીકળેલી પાર્ટીઓની ગેરંટીની ગેરંટી શું!



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.