IMFના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા AIને લઈ આપી મોટી ચેતવણી, '40 ટકા નોકરીઓ ભરખી જશે'


  • Published By :
  • Published Date : 2024-01-16 17:22:02

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)નો દબદબો વધી રહ્યો છે, AI દરેક સેક્ટરમાં છવાઈ રહ્યું છે. જો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈ ચિંતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા (Kristalina Georgieva)એ AIને લઈને મોટી  ચેતવણી આપી છે. IMFના ચેરમેન ક્રિસ્ટિના જ્યોર્જિવાએ કહ્યું છે કે આર્ટિફિશિય ઈન્ટેલિજન્સ (AI) દુનિયાભરમાં જોબ સિક્યોરિટી માટે ખતરનાક સાબિત થશે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં સામેલ થવા પહેલા  IMF ચીફે કહ્યું ' જો કે  AI પ્રોડક્ટિવિટી વધારવા માટે તકો પેદા કરશે'


40 ટકા નોકરીઓ પર થશે અસર


IMFની એક નવી રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું કે ' વિકાસશીલ દેશોમાં  AIનો પ્રભાવ ઓછો થઈ શકે છે, પરંતું વૈશ્વિક સ્તર પર લગભગ 40 ટકા નોકરીઓ પર  AIની અસર પડશે. તે વિકસિત અર્થતંત્રોમાં 60 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે. તમારી પાસે જેટલી હાઈ સ્કિલ જોબ હશે અસર તેટલી જ વધુ થશે.


આવક વધી શકે છે


IMFની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AIથી અસરગ્રસ્ત નોકરીઓમાંથી માત્ર અડધી પર જ નકારાત્મ અસર થશે. જ્યારે અન્ય લોકો AIના કારણે વધેલી ઉત્પાદકતાથી લાભ મેળવી શકે છે. જોર્જિવાએ કહ્યું  'તમારી નોકરી સંપૂર્ણપણે દૂર થઈ શકે છે અથવા નહીં પણ થઈ શકે છે અથવા AI તમારી નોકરીને વધુ આગળ વધારી શકે છે. તમે ખરેખર વધુ પ્રોડક્ટિવ બનશો અને તમારી આવકનું સ્તર વધી શકે છે.

 

તેમણે કહ્યું કે 2024 વૈશ્વિક અર્થતંત્ર માટે મુશ્કેલ વર્ષ હોઈ શકે છે. વિશ્વ હજુ સુધી કોરોનાના સમયગાળા દરમિયાન લેવામાં આવેલા દેવાની જાળમાંથી બહાર નીકળી શક્યું નથી. જ્યારે આ વર્ષે વિશ્વના 80 થી વધુ દેશોમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં, સરકારો લોકોને આકર્ષવા માટે વધુ પૈસા ખર્ચ કરશે, તેનાથી દેશોનું દેવું વધુ વધશે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?