ગુજરાતમાં કોરોનાનું આગમન, ગાંધીનગરમાં બે મહિલાઓ કોરોના સંક્રમિત થતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-19 20:28:55

જે બાબતની છેલ્લા ઘણા સમયથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી તે અંતે સાચી પડી છે. ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ ગઈ છે.  ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. જો  કે બન્ને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે  કોરોનાં પોઝિટિવ આવેલી બંને મહિલાઓ સેક્ટર-6 માં રહે છે. તેમના સેમ્પલ લઈ જીનોમ સિકવન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે. 


બંન્ને મહિલાઓને હોમ આઈસોલેટ કરાઈ


ગાંધીનગરમાં પોઝિટીવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારત તેમજ કર્ણાટક ખાતે ફરી પરત ગાંધીનગર આવ્યા હતા. ત્યારે બંને વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી શરદી, ખાંસી અને તાવ આવતો હતો. જે બાદ આરોગ્યની ટીમ દ્વારા બંને વ્યક્તિનો કોરોનાં રિપોર્ટ કર્યો હતો. જે બાદ બંને મહિલાનો કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ આરોગ્ય વિભાગ દ્વારા બંને મહિલાઓને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર ચાલી રહી છે. 


 કેરળમાં નવા સબવેરિયન્ટ JN.1નો કેસ આવતા સરકાર એલર્ટ


કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 ની પૃષ્ટી થયા બાદ કેન્દ્ર સરકાર સતર્ક બની છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક તેમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી ઈશ્યું કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR ટેસ્ટ  સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝિટવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે કેરળની 79 વર્ષની એક મહિલામાં નવા સબવેરિયન્ટ JN.1ની પૃષ્ટી થઇ હતી. મહિલાનો 18 નવેમ્બરનો RT-PCR ટેસ્ટ રિઝલ્ટ આવ્યું હતું.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..