Sukhdev Singh Gogamedi હત્યા કેસમાં સામેલ બંને શૂટરોની ધરપકડ, પોલીસને ગેરમાર્ગે દોરવા પહોંચ્યા હતા મનાલી


  • Published By :
  • Published Date : 2023-12-10 16:44:09

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi) હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચંદીગઢથી હત્યામાં સામેલ બંને શૂટર્સ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે હત્યામાં સામેલ બે શૂટર્સ (રોહિત રાઠોડ અને નીતિન ફૌજી) સહિત ત્રણ લોકોની ચંદીગઢ સેક્ટર 22 Aની એક હોટલમાંથી ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે રીકવર કરવામાં આવ્યા છે. પોલીસ ત્રણેય આરોપીઓને દિલ્હી લાવી છે, હવે પોલીસ તેમને જયપુર લઈ જશે. આ સંદર્ભે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દ્ર યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે. 


હત્યા બાદ મનાલી પહોંચી ગયા હતા


હત્યા બાદ આરોપીઓ પોલીસથી છુપાઈને તેઓ મનાલી પહોંચ્યા હતા. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહની હત્યા કર્યા બાદ આરોપીઓ પહેલા ટ્રેનમાં હિસાર ગયા હતા, હિસાર પહોંચ્યા બાદ બસમાં મનાલી જવા રવાના થયા. - મનાલીથી મંડી અને પછી ચંદીગઢ આવ્યા હતા. હત્યારાઓ એક હોટલમાં રોકાયા હતા ત્યારે જ ચંદીગઢની હોટલમાંથી પોલીસે ધરપકડ કરી હતી. શૂટરોએ હત્યા કર્યા પછી હથિયાર છુપાવી દીધા હતા, જેથી તેઓ ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પકડાઈ ન જાય અથવા બસ. જે બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસે તે હથિયારો હસ્તગત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે તેમના મોબાઈલને ટ્રેક કર્યો હતો, જ્યારે પોલીસ તેમની પાસે પહોંચી ત્યારે ત્રણેય સાથે જ હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.