સિક્કિમમાં આર્મી ટ્રકને નડ્યો અકસ્માત, 16 જવાનો થયા શહીદ


  • Published By :
  • Published Date : 2022-12-23 16:41:12

સિક્કિમમાં એક મોટી રોડ દુર્ઘટના ઘટી છે. આર્મી જવાનોને લઈ જઈ રહેલી ટ્રક ખાઈમાં પડી ગઈ છે. આ ઘટનામાં 16 જવાનો શહીદ થયા છે. મળતી માહિતી અનુસાર સાંકડા વળાંક પાસે આવેલી ખીણમાં બસ પડી ગઈ હતી. આ ઘટનામાં 16 જવાનો શહીદ થઈ ગયા છે જ્યારે 4 જવાનો ઘાયલ થયા છે. 




હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસ્ક્યું ઓપરેશન 

આ ઘટનામાં 3 આર્મીના વાહનો હતા. ત્રણે વાહનો સવારે થંગૂ તરફ જઈ રહ્યા હતા. પીઆરઓ ડિફેન્સ લેફ્ટિનેંટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે જેમાના રસ્તા પર આવેલા વળાંક પર આ દુર્ઘટના સર્જાઈ છે. ખાઈમાં આ બસ ધકેલાઈ જતા રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરની મદદથી ઘાયલ થયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત મૃત્યુ પામેલા જવાનોને પણ હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. 


વડાપ્રધાન મોદીએ અને રાજનાથસિંહે દુખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઘાયલ થયેલા  જવાનો જલ્દી સાજા થાય તે અંગે પ્રાર્થના કરી છે. ઉપરાંત ઘટનામાં મૃત્યુ પામનાર જવાનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે સાથે સાથે ઘાયલ જવાનોને 50-50 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ રાજનાથસિંહે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.