સિક્કિમમાં આર્મી ટ્રકને નડ્યો અકસ્માત, 16 જવાનો થયા શહીદ


  • Published By :
  • Published Date : 2022-12-23 16:41:12

સિક્કિમમાં એક મોટી રોડ દુર્ઘટના ઘટી છે. આર્મી જવાનોને લઈ જઈ રહેલી ટ્રક ખાઈમાં પડી ગઈ છે. આ ઘટનામાં 16 જવાનો શહીદ થયા છે. મળતી માહિતી અનુસાર સાંકડા વળાંક પાસે આવેલી ખીણમાં બસ પડી ગઈ હતી. આ ઘટનામાં 16 જવાનો શહીદ થઈ ગયા છે જ્યારે 4 જવાનો ઘાયલ થયા છે. 




હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસ્ક્યું ઓપરેશન 

આ ઘટનામાં 3 આર્મીના વાહનો હતા. ત્રણે વાહનો સવારે થંગૂ તરફ જઈ રહ્યા હતા. પીઆરઓ ડિફેન્સ લેફ્ટિનેંટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે જેમાના રસ્તા પર આવેલા વળાંક પર આ દુર્ઘટના સર્જાઈ છે. ખાઈમાં આ બસ ધકેલાઈ જતા રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરની મદદથી ઘાયલ થયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત મૃત્યુ પામેલા જવાનોને પણ હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. 


વડાપ્રધાન મોદીએ અને રાજનાથસિંહે દુખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઘાયલ થયેલા  જવાનો જલ્દી સાજા થાય તે અંગે પ્રાર્થના કરી છે. ઉપરાંત ઘટનામાં મૃત્યુ પામનાર જવાનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે સાથે સાથે ઘાયલ જવાનોને 50-50 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ રાજનાથસિંહે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.