જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 જવાન શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ


  • Published By :
  • Published Date : 2023-05-05 17:46:08

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ IED વિસ્ફોટમાં સેનાના એક મેજર સહિત કેટલાક જવાનો ઘાયલ થયા હતા. જેમને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ જવાનોનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. 


રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ 


આ ઘટના અંગે સેનાએ એક નિવેદન આપી જાણકારી આપી હતી જે મુજબ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે, જ્યારે એક અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હોવાથી આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ સેનાના ઘેરામાં ફસાઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. એવું અનુમાન છે કે કેટલાક આતંકવાદીઓ પણ અથડામણમાં માર્યા ગયા છે. વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા કારણોથી રાજ્યમાં હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.


આતંકવાદીઓ અંગે મળી હતી બાતમી 


રાજૌરી જિલ્લાના થન્નામંડી અને દરહાલ તાલુકાના ગાઢ જંગલમાં 4થી 6 આતંકવાદીઓ ફરી રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ બાતમી મળ્યા બાદ પોલીસ,સેના અને CRPFની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી હતી. જ્યાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર બેફામ ફાયરિંગ શરૂ કર્યું હતું, સુરક્ષાદળોએ પણ સામે ફાયરિંગ કરતા બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.