લગ્ન સમારોહમાં સામેલ થયેલા આર્મી જવાનનું થયું મોત! બોતલમાં રોકેટ રાખવાની જગ્યાએ મોંમાં રાખ્યું હતું રોકેટ, પછી સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:32:41

લગ્ન સમારોહમાં ઘણી વખત એવી ઘટના બનતી હોય છે જેને કારણે ખુશીનો માહોલ શોકમાં પરિવર્તિત થઈ જતો હોય છે. લગ્ન દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા હોય છે પરંતુ અનેક વખત એ જ ફટાકડાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં કોઈ વખત વ્યક્તિની જાન પણ જતી રહે છે. ત્યારે આવો જ કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો અને પછી જે સર્જાયું તે રૂંવાડા ઉભા કરી દે તેવું છે. 


આતિશબાજી દરમિયાન સર્જાઈ દુર્ઘટના!

ખુશીનો તહેવાર ઘણી વખત દુખમાં ફેરવાઈ જતો હોય છે. હાર્ટ એટેક આવવાને કારણે થતા મોત વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તે અલગ છે. મધ્યપ્રદેશથી એક ઘટના સામે આવી છે જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો હતો. આ ઘટના સોમવાર રાતની છે જ્યાં ધાર જિલ્લાના અંચલ ક્ષેત્રના જલોખ્યામાં લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. 


મોંમાં જ ફાટી ગયું રોકેટ!

આ લગ્નમાં સામેલ થવા જમ્મુ-કાશ્મીરમાં ફરજ નિભાવતા ભારતીય સેનાના સૈનિક આવ્યા હતા.લગ્ન સમારોહમાં આતિશબાજી ચાલી રહી હતી. આ દરમિયાન સ્ટંટ બતાવવાના ચક્કરમાં જવાને રોકેટને બોટલમાં રાખવાની જગ્યાએ પોતાના મોમાં રાખ્યો હતો. મળતી માહિતી અનુસાર પહેલો રોકેટ આવી જ રીતે સળગાવ્યો હતો. આ ઘટના બીજા રોકેટને સળગાવતા દરમિયાન બની હતી. ઉપર ફાટવાની જગ્યાએ રોકેટ મોંમાં જ ફાટી ગયો હતો. 


ખુશીનો માહોલ ફેરવાયો ગમમાં!

બોટલમાં ફટાકડો રાખવાની જગ્યાએ જવાને મોમાં રાખી સ્ટંટ કરવાની કોશિશ જવાનને ભારે પડી હતી. હવામાં રોકેટ ફાટવાની જગ્યાએ રોકેટ જવાનના મોમાં ફાટી જાય છે. રોકેટ ફાટી જવાથી જવાનનું મોં ખરાબ થઈ ગયું હતું. આ ઘટના બાદ અફરા-તફરી સર્જાઈ હતી. જવાનની મોત પણ ઘટના સ્થળ પર થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.