અર્જુન રાઠવા કોંગ્રેસમાં જોડાયા, AAPનો સાથ છોડી કોંગ્રેસનો 'હાથ' પકડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-12 14:28:36

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના તમામ રાજકીય પક્ષો  દ્વારા નેતાઓ, સામાજીક આગેવાનો અને કાર્યકરોનું રીતસર ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ વિરોધી પાર્ટીઓના નેતાઓને ખેંચવા માટે ખેંચતાણ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીના મોટા માથાઓ પાર્ટી છોડી રહ્યા છે.  આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું હતું . તેમણે જ્યારે  રાજીનામું આપ્યું ત્યારે તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાશે તેવું માનવામાં આવતું હતું અને આજે આ આશંકા સાચી પડી છે. AAPના વર્ષો જૂના કાર્યકર અને આદિવાસી નેતા અર્જૂન રાઠવા આપ છોડીને હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આજે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.


અર્જૂન રાઠવાએ શું કહ્યું?


કોંગ્રેસમાં જોડાતી વખતે આદિવાસી નેતા અર્જૂન રાઠવાએ જણાવ્યું હતું કે, "અમારું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. ભાજપને હરાવવા માટે અમે ગુજરાતમાં આવ્યા હતા પરંતુ અમે તેને હરાવી શક્યા નહીં અને કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દેશમાં જે પરિવર્તન થવાનું છે એ પરિવર્તન ગુજરાતમાં પણ થાય એ ઉદ્દેશ્યથી હું અને મારા સાથીદારો આજે કોંગ્રેસમાં જોડાયા છીએ."


શા માટે AAPમાંથી રાજીનામું આપ્યું હતું?


આમ આદમી પાર્ટીના  આદિવાસી નેતા એવા અર્જૂન રાઠવાએ આજે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. અર્જૂન રાઠવા 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા જ્યારે ગઇ વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. અર્જૂન રાઠવાએ મીડિયા સાથે વાત કરતા રાજીનામું આપવા પાછળ પ્રદેશના નેતૃત્વની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા અર્જૂન રાઠવાએ જણાવ્યું હતું કે "ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે તે ગંભીરતાપૂર્વક કામગીરી નથી કરતા, જેને લઈને વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નુકસાન ગયું તેમજ ચૂંટણી બાદ પણ જે સમીક્ષા કરવાની હોય તે પક્ષે કરી કરી, એટલે પક્ષનું નેતૃત્વ ગંભીરતાપૂર્વક કામ નથી કરતું જેને લઇ રાજીનામું આપ્યું છે."



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.