નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રી પદ છોડ્યું, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું રાજીનામું, અર્જુન મુંડાને મળી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-12-07 23:22:17

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ આ પદની જવાબદારી અર્જુન મુંડાને સોંપી છે. નરેન્દ્ર સિંહ તોમરના સ્થાને કેબિનેટ મંત્રી અર્જુન મુંડા કૃષિ મંત્રીની વધારાની જવાબદારી નિભાવશે. કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો આપવામાં આવશે.


આ મંત્રીઓની જવાબદારી વધી


આ સાથે જ કેટલાક અન્ય મંત્રીઓને પણ વધારાનો હવાલો સોંપવામાં આવશે. રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે અને રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હવાલો આપવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.