TET-TAT ઉમેદવારોના સમર્થનમાં Arjun Modhvadiya,શિક્ષણના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક પર તેમણે સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-08-26 13:57:51

TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાવિ શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. અનેક ધારાસભ્ય ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે સરકાર જ્ઞાન સહાયક યોજના બંધ કરી નવી શિક્ષણ નીતિ મુજબ પ્રતિ 25 વિદ્યાર્થી 1 શિક્ષકના રેશિયો મુજબ કાયમી શિક્ષકોની ભરતી કરે અને શિક્ષણમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિ બંધ કરે.

અર્જુન મોઢવાડિયા આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

અત્યારે ભાવિ શિક્ષકો ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના બંધ કરવા માટે લડી રહ્યા છે. કારણ કે તેમનો તર્ક છે કે આટલા વર્ષ સુધી અમે કોન્ટ્રાક્ટવાળી નોકરી નહોતી કરી, અમને કાયમી નોકરી જોઈએ છે. ઉમેદવારોએ રજૂઆત કરવા અનેક વખત પ્રયત્ન કર્યો. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. બીજીબાજુ સરકાર શિક્ષકોના ખાલી પદ ભરવા માટે તૈયારી કરી રહી છે કારણ કે 2017થી કોઈ પણ મોટી ભરતી કરવામાં નથી આવી. માટે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારવા શિક્ષકોની ખાલી જગ્યા ભરવી જરૂરી છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે.  


પ્રધાનમંત્રીની સહાયતા માગી TET-TATના ઉમેદવારોએ 

મુદ્દો તો ચારે બાજુથી ઘેરાઈ રહ્યો છે વિદ્યાર્થીઓએ પણ સરકાર ન માની તો પ્રધાનમંત્રીની મદદ માગી છે અને મધ્યસ્થતા કરવા અપીલ કરી છે. તેમણે વિનમ્ર ધમકી પણ આપી હતી કે સરકારને કોઈ તકલીફ ન પડે માટે પ્રધાનમંત્રી વચ્ચે મધ્યસ્થતા કરે અને જ્ઞાન સહાયક યોજના દૂર કરે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.